SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવાનો નથી. દેહભાવની ક્ષુદ્રતામાં આપણે કીડા-મકોડાની જેમ જીવીએ છીએ. કંઈ જ ત્યાગ કરી શકતા નથી મૃત્યુ એવું છે કે એકસાથે બધું જ ત્યાગ કરાવી દે છે. જો સ્વેચ્છાએ પરપદાર્થ, પરભાવનો ત્યાગ થઈ જાય તો મૃત્યુ મહામહોત્સવ બને છે. આથી જીવન એ શ્રાપ, તાપ કે પાપ જ નથી. માનવજીવન અગણિત શક્તિ સંપન્ન છે, તેનું સ્વત્વ પ્રગટ થવા જ માનવજન્મ છે. ગુરુપ્રસાદ કેમ મળે ? કબીર કહે છે: યહ તન બિસ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન, સિસ દિયે ગુરુ જો ભલે, તો ભી સસ્તા જાન. ભાઈ! માથું આપતાં પણ ગુરુ ન મળે, આપણે આપણા માથાનું (બુદ્ધિ) કેટલું મૂલ્ય સમજી બેઠા છીએ ? કોઈ સમ્રાટ યુદ્ધમાં હારે, તેનું માથું ધડથી જુદું પડ્યું હોય તેને વેચવા બજારમાં મૂકે તો તેની કોડીની કિંમત પણ ન ઊપજે. કબીર કહે છે અહંકારને ગુરુચરણે ધરી શકીએ તો ગુરુકૃપા મળી જાય. અહંકાર સહેજ ઢીલો પડે કે ગુરુદેવ ભીતર પધારે. ગુરુદેવ અંદર રહેલા અહંકારના ફુરચા ઉડાવી દે ને પરમાત્માને અંદર પધરાવી દે. પછી તેને સર્વત્ર શાંતિ જ છે. ગુરુપ્રસાદ ઝિલાઈ જાય પછી અનિત્યતાની પ્રતીતિ ક્ષણવારમાં થઈ જાય નહિતર જન્મોજન્મો વીતે હવામાં બાચકા જેવા પદાર્થોની પ્રતિની વણજાર ચાલુ જ રહેવાની. વળી પ્રભુપ્રેમની ધારામાં ક્ષણિક પદાર્થો પરની પ્રીતિ ભૂતકાળનો વિષય બની જાય એની શું નવાઈ? સાધકનો માર્ગ અનિત્યતાની પ્રતીતિ અને તત્ત્વનિષ્ઠા. અનિત્યોની પેલે પાર રહેલ નિત્યનું દર્શન કેવું મોહક છે! તેને સર્વત્ર શાંતિ જ મળે છે.” દશ્યમાંથી દ્રષ્ટાનો રસ સુકાઈ ગયો તો સર્વત્ર શાંતિ/શીતળતા છે અને રસ ન સુકાયો તો જંગલમાંય દુઃખ અને નગરમાંય દુઃખ. “સાંસારિક પદાર્થોની પ્રાપ્તિથી કંઈક સંતોષ અવશ્ય થાય છે, હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy