SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુજનોની પવિત્રતાનાં સ્પંદનો, સંયમનું યોગબળ જીવને પુષ્ટવલંબન છે. પૂર્ણતા પામતાં સુધી તે અવલંબનો કાર્યકારી છે. આત્મા જ સ્વયં સુખ અને આનંદથી ભરપૂર છે, તેથી જ્યારે પણ તે આત્મશાંતિ પામશે ત્યારે સ્વરૂપના આશ્રયે જ પામશે. તે સમયે બાહ્ય નિમિત્ત હો કે ન હો પણ તે શાંતિ આત્માના આશ્રયે જ પ્રગટે છે. ત્યારે દેહ, ગૃહ કે ગુફા તેને સાધક નથી કે બાધક નથી. બહારના પદાર્થોના નિમિત્તે કષાયના વિકલ્પોમાં આત્મશાંતિનો હાસ થાય છે. તત્ત્વજ્ઞાન જીવને જાગૃત કરે છે કે આમાં તારા આત્માની શાંતિનો નાશ થાય છે. તો જીવ તરત તે પ્રકારના લોભાદિ, સ્વાર્થજનિત ચેષ્ટને ત્યજી દેશે. એક વાર આ દૃષ્ટિ આવે પછી જીવ લોકમાં હો કે એકાંતમાં હો, પ્રલોભનોની વચ્ચે હો કે ત્યાગમાં હો, પ્રવૃત્તિમાં હો કે નિવૃત્તિમાં હો, આત્મશાંતિ ટકે છે. પરંતુ તત્ત્વજ્ઞાનના અભાવે ઘડપણ હો બચપણ હો, તીર્થ હો કે જંગલ હો, જીવને કોઈ બચાવી નહિ શકે. માત્ર સ્વના સ્મરણમાં શાંતિ છે, અથવા પરના વિસ્મરણમાં શાંતિ છે. જીવ ક્ષણમાત્ર પરનું સ્મરણ ત્યજતો નથી એટલે શાંતિ પ્રાપ્ત કરતો નથી. - “આયુષ્ય પવનથી ઉત્પન્ન સાગરના મોજાં જેવું ચંચળ છે. વિષયોનાં સુખ સંધ્યાના રંગની જેમ ક્ષણિકમાં ઊડી જનારાં છે. અને સગાસગપણ મિત્રો પંખીના મેળાની જેમ ઊડી જનારા છે, માટે સંસારના આવા દુઃખદ પ્રસંગોથી વિરક્ત થા. આત્મશાંતિ આત્માની જ સમશ્રેણિમાં છે.” જીવનમાં સંયોગો, વ્યક્તિ કે વસ્તુ કડવા મીઠા કોઈ પણ સ્વરૂપે આવે, તેનો સમતાથી સ્વીકાર કરવો. ન ફરિયાદ, ન પ્રતિકાર, કર્મના લેખાને હું માન્ય કર્યું. શ્રદ્ધાથી ધર્મ સત્તાની શરણાગતિ સ્વીકારું, પછી જીવન મંગલમય છે. જગતમાં પદાર્થો કાયમના નથી. અરે આ દેહ પણ નિત્ય ૪૨. હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy