SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્ર સ્વયં ચક્ષુરૂપ છે. જેમ ચક્ષુ વડે જોઈને પદાર્થનો નિર્ણય થાય છે તેમ શાસ્ત્રચક્ષુ વડે આત્મવિચાર પ્રગટે છે જેમાં સમ્યગુ બોધ પ્રાપ્ત થાય છે. સંસારની ચારે ગતિમાં આત્મહિતરૂપ અદ્દભુત વિચારશક્તિ ફક્ત માનવને મળી છે. જો જીવ આ વિચારશક્તિને શાસ્ત્રયોગ વડે નિર્મળ કરે તો તે વિચારધારા જ્ઞાનરૂપે પરિણમી જીવને ભવરોગથી મુક્ત થવાનું સહજ બને છે. માટે સમ્યગુ વિચારને ધન માની સાચવજે. મનુષ્યને પશુથી શ્રેષ્ઠ અને અલગ કરનાર આત્મવિચારનું બળ છે. જો મનુષ્યમાં આત્મવિચારનું બળ ન હોય તો તે પશુજીવનની નજીક જતો જાય છે. કથંચિત આગળના ભવમાં તિર્યંચગતિમાં સ્થાન લે છે. મનુષ્ય માટે આત્મવિચાર એ વિકાસનું મહત્તમ સાધન છે. “ગુરુ-શિષ્ય એક વાર નગરની શેરીમાંથી પસાર થઈ રહ્યા છે. એક ઘરના મેડા પરથી એક બહેને જોયા વગર રખ્યા નીચે નાખી. નીચેથી પસાર થઈ રહેલા ગુરુશિષ્ય પર એ રાખ પડી. શિષ્ય કહે: જુઓ તો ખરા આ રીતે જોયા વગર રખ્યા નાખે છે? ગુરુ હસ્યા, કહે: આમે આપણે બાવા તો છીએ જ. આ તો ભભૂતિ મળી, અને પૂરા બાવા થઈ ગયા. પરંતુ બેટા! ખરેખર તો આપણા ગત જન્મોનાં અને પૂર્વાવસ્થાનાં કર્મો એવાં છે કે ગરમ ગરમ અંગારા રખ્યા સાથે પડે. આ તો પ્રભુનો ઉપકાર છે કે ઠંડી ઠંડી રાખ જ પડી છે! આ છે વિચારરૂપી ઔષધ. આ પ્રમાણે વિચારવું તે આપણું સુશાસ્ત્ર છે.” જીવને જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે અશાંત છે. જો તેને સ્વરૂપનું ભાન થાય આત્મવિચાર પ્રગટે તો અશાંતિ હૃદયપ્રદીપનાં અજવાળાં ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy