SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સંશી એવા મનુષ્યને આત્મહિતનો ઉપાય કરવાની વિચારશક્તિ મળી છે. જો તે આત્મશ્રદ્ધા રૂપે બને, બાહ્ય પદાર્થોના આકર્ષણને ત્યજી અંતરાત્મા પ્રત્યે વળે તો સમ્યગુ વિચારણા પ્રગટે. તે વિચારણા પ્રજ્ઞાનું રૂપ પામે છે. જે જ્ઞાનરૂપે સ્વત પરિણમે છે તે જ્ઞાન જન્મમરણની મુક્તિનું મુખ્ય કારણ છે. વળી સંસારના દુઃખ, સંતાપ, મોહજનિત વિકારને નાશ કરવાનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે જે આત્મવિચાર વડે પ્રગટ થાય છે. એ જ આત્મજ્ઞાન પૂર્ણતાને પામે છે, ત્યારે જીવનો ભવરોગ ટળી નિર્વાણ પ્રાપ્ત થાય છે. માટે હે જીવ સૌ પ્રથમ નિર્ણય કર કે મારે ભવરોગથી મુક્ત થવું છે. હે સુજ્ઞ ! વિચાર કે ભવરોગથી મુક્ત થતાં દેહના રોગનો તો આત્યંતિક ક્ષય થવાનો છે, તું દેહરોગથી મુક્ત થવાનો ભય શા માટે સેવે છે ? ભવરોગથી મુક્ત થયા પછી દેહરોગ તો જવાનો જ છે. એ ભવરોગ મટાડવાનો ઉત્તમ ઉપાય તારી પાસે જ છે અને તે તારામાં જ રહેલી “સમ્યગુ વિચારશક્તિ.” સનતચક્રીને રોમે રોમે પરુ ભરાઈ ગયું હતું. અનેક પીડાથી શરીર વ્યાપ્ત છતાં મુનિનું લક્ષ આત્માના આનંદમાં હતું તેથી પીડા પણ ઉપકારી બની ભવરોગને નાશ કરનારી નીવડી. મુનિને લબ્ધિ તો હતી દેહના રોગને નાશ કરવાની પરંતુ તેમને તો ભવરોગ નાશ કરવો હતો. તેથી આત્મવિચારના બળ વડે ભવરોગનો નાશ કરવા સમર્થ થયા. એ આત્મવિચારનું મૂલ્ય દૈહિક સુખ સાથે મૂલવી શકાય તેવું નથી. દેહની પીડાને રોગરૂપે જાણનારો અજ્ઞ ભવરોગને જાણતો નથી. જો તેને સત્શાસ્ત્રનો યોગ થાય તો સમજ પેદા થાય. પુણ્યશાળી જીવો ! આ કાળમાં કરુણાયુક્ત ગુરુજનોએ કેટલાં શાસ્ત્ર પ્રદાન કર્યા છે. જે શાસ્ત્ર સ્વયં તને આત્મહિતની દૃષ્ટિને પાત્ર કરાવે છે. ૩૬ * હૃદયપ્રદીપનાં અજવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy