SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈ દર્દ જણાય તો ચિંતા અને ભયથી ઘેરાઈ જાય તેમાં વળી જો નિદાન થાય કે અસાધ્ય રોગ છે તો રાત-દિવસ તે રોગથી છૂટવાનો પ્રયત્ન કરે. તે ઔષધ સેવનની બધી જ પીડા સહન કરે, કેમ કે તેને દેહને સદાય સાચવવો છે, નિત્ય રાખવો છે, સાથે રાખવો છે. તે એ વાત ભૂલી જાય છે કે: રોગનું ઘર અને સતત મોત તરફ ધકેલાઈ રહેલા હૃષ્ટપુષ્ટ શરીરને કાયમ માટે કેવી રીતે રાખી શકાય? એ માત્ર ભ્રમણા જ છે. તેમાં સફળતા મળવાની નથી. માટે આત્માને સંભાળી લે. શરીરના સાડાત્રણ કરોડ રોમ છે. એક રોમે પોણા બે રોગ થવાની શક્યતા છે. જેમ કે મેલેરિયા જેવા દર્દમાં પૂરા શરીરમાં તેનાં જંતુઓ વ્યાપી જાય છે. કેન્સર જેવા દર્દમાં પૂરા શરીરમાં જીવાણુઓ ફેલાઈ જાય છે. દેહના પરિચયમાં જીવને આ રોગ જણાય છે. પીડા જણાય છે અને દૂર કરવાના અનેક પ્રયત્નો કરે છે. ભલે, ભાઈ દેહ છે તો સંભાળ રાખ, ઔષધ કર, પણ આત્માનો ભવરોગ મટે તેવું કંઈક તો વિચાર! અજ્ઞાનવશ જીવ જાણતો નથી કે દેહ તો રોગનું જ ઘર છે, પરંતુ એ દેહને સાચવવા માટે, તેની વાસનાને કારણે ભવરોગ કેટલા દીર્ઘકાળ સુધી રહ્યો છે અને રહેશે ! દેહનો રોગ એક ભવના સંયોગવાળો પણ ભવરોગ તો ચારે ગતિમાં પુનઃ પુનઃ ભ્રમણ કરાવે છે. આકાશ શ્રેણિનો કોઈ એક ખૂણો/પ્રદેશ બાકી નથી કે જ્યાં જીવે જન્મ-મરણ કરીને સ્પર્શ કર્યો ન હોય. કોઈ એવો કાળ નથી કે જીવે જન્મમરણ કર્યું ન હોય. જો આ વાત સમજાય તો આ મનુષ્યજન્મમાં તને ક્યાંય ન મળે તેવી એક અદ્દભુત શક્તિ મળી છે અને તે સમ્યગુ “વિચાર થવો તે ભવરોગનું ઔષધ છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે શાને ક્ષય મોહ થઈ પામે પદનિવણ' શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર હૃદયપ્રદીપનાં અજવાળાં ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy