SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આકુળતા ટકતી નથી. ભલે ઉદય વશાત વિષયાદિમાં પડેલો હોય પરંતુ જો અંતરમાં વિવેક છે તો તે નિરાકુળતામાં રહી શકે છે. લોકો સ્વરૂપ દૃષ્ટિના વિવેક વગર સુખ-શાંતિ માટે ઘણા પ્રયત્ન કરે છે, તે જેટલા વધુ પ્રયત્ન કરે છે તેટલો અશાંતિથી વધુ ઘેરાય છે પરંતુ જેને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું છે, જેનામાં આત્મવિચાર પ્રગટ્યો છે તેને કોઈ ક્લેશ નથી. તેથી તેનો વિરોગ ટળે છે. - “મુક્તિસ્વરૂપ આત્માને ઈન્દ્ર કે ચક્રવર્તીનાં ખોળિયાં પણ જેલ જેવાં લાગે છે. તેથી પુણ્યવંતા જીવો તેના સાક્ષી રહે છે, ભોગી થતા નથી. શ્રી આનંદઘનજી કહે છે કે: કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપી સુજ્ઞાની; જ્ઞાનાનંદે પૂરણ પાવનો, વક્તિ સકળ ઉપાધિ સુજ્ઞાની. દેહ તો છે, પણ જ્ઞાની તો તેને પડોશી તરીકે જાણે છે. તેમાં જે કંઈ ઉત્પાદવ્યય થાય છે તેના તે સાક્ષી છે. જ્ઞાનાનંદમાં પૂર્ણપણે ડૂબેલાને બાહ્ય ઉપાધિ પોતે જ ત્યજી દે છે. એથી ઇન્દ્ર કે ચંદ્રના જેવા શરીરનું પણ શું કામ છે?” ભાઈ ! તું કહે છે દેવગુરુની કૃપા! તો પછી એની કૃપા લેવી હોય તો પ્રભુ રાજી રહે તેમ જીવવું, જીવનનો સદ્દઉપયોગ કરવો જેથી અંતકાળે પ્રભુ હિસાબ માગે તો ગભરામણ ન થાય. આજથી જ નક્કી કરો કે જે મારું થયું નથી તે મારું થવાનું નથી. એવા જગતના પ્રપંચને ભૂલી જવામાં જ મારું હિત છે. પ્રભુ સ્મરણથી તે જળવાય છે. આમચિંતન કરવાથી વૈરાગ્ય પેદા થાય છે. ૩૮ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy