SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુહીન માનવમાં જો સદ્વિચારનો પ્રકાશ થાય તો તે પ્રજ્ઞા વડે અંતરદર્શન કરી શકે છે. ચક્ષુહીન માનવ દીવાલ સાથે ભટકાય છે પણ વિચાર-વિવેકહીન માનવ તો સમગ્ર સૃષ્ટિ/ચૌદ રાજલોકમાં ભટકે છે. આમ ભટકવું તે ભવરોગ છે એમ જે જાણે છે તે વિચારપૂર્વક જીવે છે તે સાસ્ત્ર દ્વારા દર્શાવેલા માર્ગે સરળતાથી ચાલી શકે છે. વાસ્તવમાં પરપદાર્થોમાં અશુદ્ધ એવા રાગાદિ ભાવ દુઃખરૂપ છે. જો ચેતન સ્વયં સહજ સ્વભાવ તરફ વળે ત્યાં સુખ જ છે. ઉપયોગને સ્વભાવમાં લગાવે તો સર્વ દુઃખની સમાપ્તિ થાય અને સુખ પ્રાપ્ત થાય. “આજના માણસે ઘરને ગોડાઉનમાં ફેરવી નાંખ્યું છે. વસ્તુઓના ખડકલા છતાં એ અતૃપ્ત છે. જ્યાં સુધી પરમાત્માની ઝલક ન મળે ત્યાં સુધી અતૃપ્ત જ રહેવાના છીએ. જો તમે પરમાત્માને મળવા તૈયાર છો તો આ જ ક્ષણે પરમાત્માનું મિલન થઈ શકે. દુઃખના હેતુરૂપ ધનમાં રહેલી અતિતૃષ્ણાને છોડી દઈ તું સુખી થા. એમ સદ્ગુરુ કહે છે.” માનવમનની વિચિત્રતા એવી છે કે કર્માધીન સન્માર્ગે જતા જીવને ઉન્માર્ગે ચઢાવી દે અને ઉન્માર્ગે જતાને સન્માર્ગે ચઢાવી દે, માટે કેવળ મન પર વિશ્વાસ ન મૂકવો. પણ સાધનાકાળમાં દઢપણે ગુણવિકાસલક્ષી રહેવું. સવિશેષ ઉદારતા, સદ્દભાવ, પવિત્રતા, સરળથા જેવા ગુણો કેળવવા. સંયમી જીવન જીવવું. હૃદયપ્રદીપનાં અજવાળાં ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy