________________
જ્ઞાનસ્વભાવ અનંત શક્તિયુક્ત છે. પરને જાણે એટલે દ્રા નહિ પણ જેની પાસે સ્વરૂપ આશ્રયે તત્ત્વદષ્ટિનો નિર્ણય છે કે હું આ જગતના સર્વ પદાર્થોથી ભિન્ન છું. ઇન્દ્રિયોના વિષયો સમય, રાગાદિ કે રોગાદિના સમયે પણ હું તો તે સર્વથી જુદો જ છું. આવી દષ્ટિની જે શક્તિ છે તે દ્રષ્ટા છે.
રાગાદિ અવસ્થાઓ ક્ષણિક છે, તે સમયે સમયે પરિવર્તન પામે છે ત્યારે પણ દ્રષ્ટા તેને જુએ છે પણ તે અવસ્થાઓ સાથે એકત્વ ધરાવતો નથી. તેથી તે રાગાદિની દરેક ક્ષણે જુદો પડી સહજ દશાને પ્રાપ્ત થાય છે. જ્ઞાની વસ્તુ માત્રના દ્રષ્ય હોવાથી, દેહાદિ પદાર્થોથી ભેદજ્ઞાન વડે જ્ઞાનસ્વરૂપે ટકે છે. પદાર્થોની સાંયોગિક અવસ્થાઓને માત્ર જ્ઞાન દ્વારા જુદી જાણે છે
નટવો નાચે ચોકમાં ને લખ આવે લખ જાય. વાંસ ચઢે નાટક કરે તેનું ચિત્તડું દોરડિયા માંય; તેરો અવસર બીત્યો જાય'.
શ્રી આનંદઘનજી. તમે જ્યારે નટના ખેલ જુઓ ત્યારે તમે પ્રેક્ષક છો નટ નથી, એટલે નટનાં સુખદ-દુઃખદ, અભિનય જોવા છતાં તમે પ્રેક્ષક-દ્રષ્ટ છો તો સુખી કે દુઃખી થતા નથી. નાટક પૂરું થાય કે ઊઠીને ચાલ્યા જાવ. તેને કોઈ વ્યવસ્થા પણ સંભાળવાની નહિ, કારણ કે તે કેવળ જોનાર હતો.
વળી નટ પોતે પણ જ્યારે ખેલ કરે ત્યારે તેની સામે લાખોની દષ્ટિ હોવા છતાં, તેનું ચિત્ત તો દોરડા પર પગને ટેકવી રાખવાનું છે. પરંતુ લાખોના મનોભાવ સાથે જોડાવાનું નથી.
સોની સોનાના ઘાટ ઘડે ત્યારે તેની રુચિ પર્યાયજનિત ઘાટમાં નથી પણ સોનામાં છે. તેમ દ્રષ્ટા દેહમાં છતાં તેની રુચિ આત્મહિતમાં છે.
૨૬ એક હૃદયપ્રદીપનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org