SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આથી જ્ઞાનીજનો તનમાં એક સંયોગ માની તે જ દેહ વડે તપાદિ કરી તેની મૂચ્છનો નાશ કરે છે. તે પુદ્ગલના નાટકને જુએ છે કે સ્વયં ઊપજે છે, સ્વયં વિણસે છે. તેમાં મારે કંઈ કરવાનું નથી. તેથી જડ પદાર્થો પ્રત્યે નિરંતર ઉદાસીન રહે છે. જીવને ભોગ રોગરૂપે જણાય ત્યારે તેમાં ક્ષણમાત્ર પણ સુખ કેમ ઊપજે! વિણસતા એવા પુદ્ગલના જડ ખોળિયાને પુનઃ પુન મેળવવા કેમ ઇચ્છે ? જેમ એક ભ્રમર એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર ભમે છે, તેમ જીવ સંસારમાં વિષયની તૃષ્ણાવશ એક શરીરમાંથી બીજા શરીરને મેળવે છે તેમ જાણી જ્ઞાની જડ શરીરને ઇચ્છતા નથી. કાયાની માયાને ત્યજી સ્વસ્વરૂપને ભજે છે. - નિત નિત વિણસતું આ શરીર તારું કહ્યું તો માનતું નથી. એક નોકર તારું કહ્યું માને નહિ તો તે કાઢી મૂકે અને આ શરીર તું તેને લાડ કરી ભોગ આપે અને તે તને રોગ આપે તોય તું તેને વહાલું ગણે છે. જ્ઞાની જ્ઞાનસ્વરૂપને ભજતા હોવાથી કાયાની આવી આડાઈ ચલાવી લેતા નથી. દેહ એટલે પરમાણુનો ઢગલો, તેમાં ઉત્પાદવ્યય થયા કરે તેમાં જ્ઞાની ભોગ કેમ ઇચ્છે! જડના ઉત્પાદ-વ્યય જડરૂપે પરિણમે છે તેમાં જ્ઞાનીને કંઈ કરવાનું નથી એટલે તો મુનિને જંગલમાં સિંહ શરીરને ફાડી નાખે, ભીલ તીર ભોંકે કે અગર ગળી જાય ત્યારે પણ જ્ઞાની જ્ઞાનસ્વરૂપે રહી જડ ખોળિયાને ચાહતા નથી. તે છૂટ્યું તો પોતે છૂટ્યા જ છે. વળી દેહ છે એટલે વ્યાધિ અને વૃદ્ધત્વ આવવાનું છે, અજ્ઞાની તેવા સમયે દુઃખી થાય છે. તે ભૂલી જાય છે. આ તો શરીરનાં લક્ષણ છે. ખરે સમયે જાગ્યો નહિ. જ્ઞાની શરીરના લક્ષણને જાણે છે તેથી તે તો કહે છે કે વ્યાધિ, વૃદ્ધત્વ અને વેદના તે તો કર્મ ખપાવવાનો અવસર છે. જો હવે જડ ખોળિયાની ઈચ્છા નથી તો સમતાથી સહી લે અને ક્રમે કરીને મુક્ત થા. કારણ કે જ્ઞાનીજનોએ ૨૨ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy