SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયભોગોમાં મૂછિત થઈ જીવ સ્વહિત માટે જાગૃત રહેતો નથી. “સગૃહસ્થ એક સંન્યાસીની શાતા પૂછી. સંન્યાસીનું મુખ પ્રસન્નતાથી છલકાતું હતું. થોડા દિવસ વિત્યા. સંન્યાસીનું શરીર રક્તપિત્તના રોગથી ભરાઈ ગયું. પેલા સદ્દગૃહસ્થ પુન આવ્યા, શાતા પૂછી, એ જ પ્રસન્નતા, પરમશાતામાં હતા. સદ્દગૃહસ્થને સમજાયું નહિ. શરીર સારું હતું, ત્યારે પ્રસન્ન. આજે શરીર રોગથી ભરાઈ ગયું છે ત્યારે પણ એ જ પ્રસન્નતા એ જ મઝા? સંન્યાસીએ કહ્યું, પરમાત્માની કેવી અનરાધાર કૃપા ઊતરી આવી છે. આ શરીર પર લગાવ હતો એ પ્રભુએ દૂર કર્યો. જે અંદર છે તે બહાર આવે તો શરીરનો લગાવ છૂટી જાય કે નહિ? હું રોજ આ વાત મારા પ્રવચનમાં કહેતો. પ્રભુએ મારાથી શરૂઆત કરી, બોલો કેવી મઝા ? સાધકની કાયા એ મચ્છરોની મિજબાની. સાધક સાધનામાં એવો તો ઊંડો પ્રવેશી ગયેલો હોય કે એને બહાર ઘટતી ઘટનાનો ખ્યાલ સુધ્ધાં ન હોય. વીર્ય ચપળ હોય અને પર તરફ વહેતું હોય એ સાધકને ન ચાલે. આત્મવીર્ય તો જ્ઞાન અને ચારિત્રનું સહકારી જ હોવું જોઈએ. સામાન્ય જીવોનું વીર્ય-સામર્થ્ય મન વચન કાયાના યોગો દ્વારા સાંસારિક પ્રવૃત્તિમાં જ પ્રવર્તે છે. જ્ઞાનીનું વીર્ય – ઉપયોગ – ચેતના તરફ વહે છે એટલે જ્ઞાનીને પણ મનાદિયોગો હોવા છતાં તે પણ આત્મસામર્થ્યમાં સહકારી બને છે.” હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy