SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન કર્યા નથી એવું પણ નથી, પરંતુ વૈરાગ્યના અભાવે રખડ્યો છે. સર્વ સાધન કરવા છતાં સંસારના સુખનો રાગ હૃદયમાં ધારણ કરી પુણ્ય સુધી પહોંચ્યો પણ રાગનો અભાવ કરી વૈરાગ્ય ન પામ્યો એટલે જન્મમરણથી મુક્તિ ન થઈ. જ્ઞાનીઓ કહે છે જેને સંસારનાં ક્ષણિક, પૌદ્ગલિક સુખોમાં પણ દુઃખ જોયું, તે સાધકોના ચિત્તમાં વૈરાગ્યગુણ પ્રબળપણે પ્રગટે છે. જગતમાં જીવ અને અજીવ-દેહનું વાસ્તવિક સ્વરૂપ જોતાં સાધકને સમજાયું કે ઓહો ! જીવ નિત્ય છે, દેહાદિ અનિત્ય છે. જીવ સહજ આનંદસ્વરૂપ છે. દેહ જન્મ-જરા-મરણ-રોગ-શોકનું કારણ છે. વળી દેહ ધારણ થતાં મળેલાં સગપણો રાગદ્વેષનું કારણ છે. ત્યાં રાચવાથી જીવ સ્વરૂપસુખની પ્રાપ્તિ કરી શકતો નથી. સનતુ ચક્રવર્તીને અતિ રૂપવાન એવા શરીરમાં રોગનું ચિહ્ન જોતાં વૈરાગ્ય ઊપજ્યો. પછી સંસારમાં એક ક્ષણ પણ રોકાયા નહીં. આજે પણ શ્રીમંતાઈ સંપન્નતા હોવા છતાં જીવો કઠિન એવા સંયમમાર્ગને સ્વીકારીને સઉલ્લાસ ચારિત્રધર્મ પાળે છે. આ કાળમાં જીવો પર મોહનું બખ્તર એવું ચોંટ્યું છે કે રોગશોક એવાં કેટલાંય કારણો નજરે ચઢવા છતાં, અનુભવ થવા છતાં, જાણે અમરપટો મેળવ્યો હોય તેમ નિષ્કિકર જીવે છે. ક્યાંય વૈરાગ્યનો અંશ સ્પર્શતો નથી. ભક્તિ, દાન, પરોપકાર કરે છે, પરંતુ બધું મનની સપાટી ઉપર હોય છે. અંતરંગ અવસ્થામાં સંસારનો રાગ તો જેવો ને તેવો જ રહે છે. આથી પુણ્ય સુધી પહોંચી સંસારની વૃદ્ધિ કરે છે. પરંતુ એ પુણ્યના યોગમાં વિચારતો નથી કે હું સાંસારિક સુખો માટે જન્મ્યો નથી પણ મુક્ત થવા મનુષ્યનો જન્મ પામ્યો સાચો સાધક મોક્ષાર્થી વિચારે છે કે હું કેવી રીતે આત્માના આનંદ-સુખનો અનુભવ કરું ? આ પરિભ્રમણ કે ભૌતિક સુખોમાં ૧૨ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy