SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગતા. જ્ઞાન એટલે સમ્યગજ્ઞાનરૂપ શુદ્ધ ગુણ. અને ચારિત્ર એટલે જ્ઞાનનું જ્ઞાનમાં સ્થિર થવું. આમ જેવું જ્ઞાન તેવું આચરણ બંને ગુણે પૂર્ણ એવા જીવો કોઈક વીરલા જ હોય છે. રાગરહિત વીતરાગ દશા પ્રગટ થવી તે ધર્મનું રહસ્ય છે. આત્મા શુભાશુભભાવ રહિત ત્રિકાળ શુદ્ધસ્વરૂપ છે તેનો અંતરંગ જ્ઞાનથી અનુભવ થવો તે શુદ્ધોપયોગ છે. જાણે ખરો કે આત્મા શુદ્ધ છે પરંતુ પરના કર્તૃત્વભાવને ત્યજે નહિ. જાણે કે આત્માના ચારિત્રગુણની પરિણતિ વૈરાગ્ય છે પણ રાગાદિના ભાવને સેવ્યા કરે તેવા જીવોની દશા દુઃખદાયક છે. આમ કોરું શાસ્ત્રજ્ઞાન કે બાહ્યચારિત્ર જીવને હિતકારી નથી. આથી શાસ્ત્રકાર કહે છે કે સન્માર્ગે જવા નીકળેલા સાધકો તત્ત્વને જાણે કે આત્મા સર્વ પદાર્થોથી ભિન્ન છે. સ્વસ્વરૂપે રાગાદિભાવનો કર્તા નથી પરંતુ તે પ્રમાણે સાધનામાર્ગમાં ટકી શકતા નથી. અને જેઓ શરીરદિ બળ ધરાવે છે. બુદ્ધિશક્તિથી સંપન્ન છે. દેવ ગુરુ જેવા ઉત્તમ યોગ મળ્યા છે. અન્ય સાધન સંપન્નતા છે પરંતુ સાધના શું ? તત્ત્વ શું ? તેનાથી લાભ શું ? તે કંઈ જાણતા નથી આથી સર્વકાળે તત્ત્વદૃષ્ટિયુક્ત સાધના કરનાર વીરલા જ હોય સાધકો સાધનાતત્ત્વને શ્રવણથી જાણે છે કે આત્મા ચૈતન્યજ્ઞાન સ્વભાવથી ભરેલો છે. અંતર્મુખ થઈ તેની પરિણામરૂપ શ્રદ્ધા કરી આત્માનો અનુભવ કરવો તે બોધનું રહસ્ય છે. આમ જાણવા છતાં તે પોતાનો પુરુષાર્થ ફોરવી શકતો નથી. વળી જેઓ સાધના કરવા સક્ષમ છે, તે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધોપવાસ, દેવપૂજા, દાન વગેરે કરીને થતા શુભભાવને ધર્મ જાણે છે પણ તેમાં તત્ત્વદૃષ્ટિના અભાવે સ્વભાવ પ્રત્યે અંતર્મુખ થઈ આત્મઅનુભવ કરતા નથી. ૮ * હ્રદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy