SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અને વાણી દ્વારા વ્યક્ત કરે પરંતુ તેમાંનો કોઈ ગુણ કે શુદ્ધભાવની તેને સ્પર્શના નથી હોતી. જેમ કોઈ તૃષાતુર મનુષ્ય તળાવ પાસે જાય, જુએ અને બોલે કે ઓહો! કેટલું બધું પાણી છે ? પરંતુ પાણી કેમ લેવું તે ખબર નથી, પીવાનો પ્રયત્ન કરતો નથી, તો તેનાં વચનો વ્યર્થ જાય છે. કાર્યકારી થતાં નથી. હું શુદ્ધાત્મા છું કહેતાં અનાદિકાળથી વિસ્મરણ થયેલો આત્મા પ્રગટ થતો નથી. અનુભવી ગુરુજનો પાસે તેની વિદ્યા મેળવવી પડે છે. એ વિદ્યા મેળવ્યા પછી શ્રદ્ધાપૂર્વક આત્મલક્ષે ભૂમિકા પ્રમાણે સતપુરુષાર્થ કરે તો આત્મા પ્રગટ થાય અનુભવમાં આવે. માત્ર શાબ્દિક જાણકારી વ્યર્થ છે. વળી કોઈકના જીવમાં શક્તિ હોય અને વ્રત, તપ કરે, બાહ્ય ક્રિયાદિ કરે. ક્ષમા જેવા ગુણ ધારણ કરે પણ તે સર્વ શાને માટે કરે છે તે જાણતો નથી. કોઈને અમુક સ્થાને જવું છે પરંતુ ત્યાં કેમ જવાય તેની ખબર નથી, કેવળ દોડે છે. પરંતુ તેને માર્ગની જાણકારી નથી એટલે ગંતવ્ય સ્થાને પહોંચતો નથી. દોડવાની શક્તિ હોવા છતાં અજ્ઞાનતાને કારણે પહોંચતો નથી. અનાદિકાળના પરિભ્રમણથી આત્માને મુક્ત કરવાનું કાર્ય દુર્લભ છે. તે માર્ગે લઈ જનાર સર્વજ્ઞ પરમાત્માના પુષ્ટ અવલંબનને જાણતો નથી કે સેવતો નથી. નિગ્રંથ ગુરુજનોની નિશ્રા કે નિષ્ઠા નથી. અને તત્ત્વરૂપ ધર્મની તેને જાણકારી નથી. ઓઘદૃષ્ટિએ બોધરહિત તે ઘણા પ્રકારે સાધના કરે છે પરંતુ તત્ત્વદષ્ટિની જાણકારી ન હોવાથી તેની સાધના કાર્યકારી બનતી નથી. જ્ઞાન ક્રિયાભ્યાં મુક્તિઃ જ્ઞાન એટલે જાણકારી, ક્રિયા એટલે સચારિત્ર. જ્ઞાન એટલે બોધરૂપ પરિણતિ અને સચારિત્ર એટલે હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy