________________
જે જીવમાં તત્ત્વદષ્ટિ છે તેનામાં વૈરાગ્યની વૃદ્ધિ થતી જાય છે. તેમાં કોઈ પણ સાધના/આચરણ એવાં ન હોય કે જેમાં રાગાદિની વૃદ્ધિ થાય. વર્તમાન અવસ્થામાં થતા મિથ્યાભાવ, પરભાવનો તેને ભય હોય છે. અકષાયી સ્વભાવ પ્રત્યે તેનું દઢ લક્ષ્ય હોય છે. તે માટે નિયમિત સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્ત હોય છે. સંતસમાગમને ઇચ્છતો હોય છે. સ્વરૂપ પ્રાપ્તિની રુચિ પ્રબળ હોય છે. તેવા જ્ઞાનદૃષ્ટિયુક્ત અને વૈરાગ્યભાવનાવાળા જીવો વીરલા હોય છે.
જેના ચિત્તમાં/ભાવમાં આત્મ-સ્વરૂપ પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા અપેક્ષા છે તે જીવ દેહના મમત્વમાં અહમુમાં, રાગાદિ પરિણામમાં, બાહ્ય ક્રિયામાં, શાસ્ત્રની જાણકારીમાં અટકે છે તે સાધનાનો ઉદ્યમ કરી શકતો નથી.
જે જીવ આત્મશ્રેય ઇચ્છે છે તે તો અનુભવી ગુરુજનો પાસે સાધના કરી, શ્રુતજ્ઞાનને જાણી આત્મસ્વરૂપને યથાર્થ જાણવા પ્રયત્ન કરે છે અને નિર્ણય કરે છે કે મારો આત્મા જ જ્ઞાન અને વૈરાગ્ય ગુણથી ભરપૂર છે. હવે મારે આ જગતમાં બહાર કંઈ મેળવવાનું
નથી.
શાલિભદ્ર સાંસારિક સુખથી ઘેરાયેલા હતા પણ પ્રસંગોપાત્ત જ્ઞાન પ્રગટ્યું કે ચારિત્રની ભાવના દઢ બની. પછી તો બત્રીસ દિવસનો વાયદો પણ ક્ષણમાત્રમાં પૂરો કરી ચાલી નીકળ્યા, તે વીરલા જીવોનું સામર્થ્ય છે.
“અનુભૂતિ પર લઈ જનારાં બે તત્ત્વો છે. સાધકના ઉપાદાનનું સજજ થવું અને શુભ નિમિત્તનું મળી જવું. અલબત્ત, પ્રાપ્તિ પછી કે પ્રાપ્તિ ભણી સરકતી વખતે સાધક સ્પષ્ટતયા અનુભવતો હશે કે નિમિત્તોએ કેવી કાયાપલટ કરી ?
પ્રભુનાં દર્શન જેવું શ્રેષ્ઠ નિમિત્ત મળવા છતાં પણ જો આ ઉપાદાન પવિત્ર નહિ થાય તો ક્યારે થશે? કાં તો મારું ઉપાદાન
હૃદયપ્રદીપનાં અજવાળાં ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org