SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પામે છે. તે કા૨ણે આત્મા સાથે કર્માણુઓ ગ્રહણ થાય છે. જેથી આત્મા કર્મ વડે બંધન પામે છે. (૨) પારમાર્થિકયોગ : જે આત્માના વિશુદ્ધ પરિણામ છે. જે શુદ્ધતા સાથે જોડાય છે. જેથી ક્રમેક્રમે આત્મા કર્માણુઓથી મુક્ત થઈ મોક્ષ પામે છે. એવો પારમાર્થિક યોગ મનના નિરોધ વડે અર્થાત્ રાગાદિ વિકલ્પોથી ભરેલા મનને સંયમમાં લાવવાથી સાધ્ય બને છે. તેથી મનનો નિરોધ એ શ્રેષ્ઠ યોગ છે. જ્ઞાનના મુખ્ય ભેદ પાંચ છે, તેના અંતરજ્ઞાનના ઘણા ભેદો છે. સમ્યગ્ જ્ઞાન વડે જીવ તત્ત્વનો બોધ પામે અર્થાત આત્માને જાણે તો તેવો તત્ત્વબોધ શ્રેષ્ઠ છે. આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. પરંતુ તે આવરણયુક્ત છે. એ જ્ઞાનને નિરાવરણ કરવા તત્ત્વદૃષ્ટિ-તત્ત્વબોધ શ્રેષ્ઠ છે. તત્ત્વબોધ એટલે આત્માને જેવો છે તેવો શ્રદ્ધવો, જાણવો અને તેમાં જ રમણ કરવું. તત્ત્વબોધ એટલે જડ અને ચેતન પદાર્થોને જેમ છે તેમ જાણી. જડ પદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ આત્મવૃત્તિ કેળવવી. તત્ત્વબોધ વડે દેહાદિ મમત્વ છૂટે છે. દેહાદિથી ભેદજ્ઞાન થઈ આત્મા સ્વસ્વરૂપમાં સ્થિરતા પામે છે. તત્ત્વબોધ રહિત શાસ્ત્રોનું જ્ઞાન, તપ, જપ, ધ્યાન જેવાં અનુષ્ઠાન, અમૃતક્રિયા સાચી ક્રિયા રૂપ પરિણમતા નથી. તત્ત્વાવબોધ વડે શાન નિર્મળતા પામે છે. સંયોગાધીન પ્રાપ્ત સંયોગોમાં જીવ સ્વસ્થપણે ટકે છે. આથી જ્ઞાન સાથે તત્ત્વબોધ ઉત્તમ છે. બ્લોગ : જોડાણ પરમચેતના સાથેનું. જ્ઞાનઃ પરમાત્માના પરમ ઐશ્વર્યનું. સમાધિ : પરમરસમાં ભક્તનો પ્રવેશ. હૃદયપ્રદીપનાં અજવાળાં ૪ ૧૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy