SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમાં દુન્યવી સહાયની જરૂ૨ નથી. તેના આધારે જીવોની શક્તિ હણાય છે. ભાઈ, તારા ચા૨-છ દસકા પૂરા થયા, ગઈ જિંદગી ૫૨ નજ૨ નાંખી જો. બાલ્યાવસ્થાની ઢીંગલા-ઢીંગલીની રમત હવે નથી જોઈતી. એ ઢીંગલા-ઢીંગલીથી તારાં બાળકોને પછી એનાં બાળકોને રમાડતો રહ્યો. પણ સાંઠ-પાંસઠે પણ જો તું રમતો જ રહે તો પ્રત્યક્ષ કરવાનું છે તે આત્મત્વ રહી જશે. હવે તો જીવનની દરેક પળ આપણે જે મહાન કાર્ય માટે જન્મ્યા છીએ તેમાં રોકાવી જોઈએ. વિચારી જો ! બાલ્યાવસ્થા રમતમાં, યુવાવસ્થા મોજશોખમાં ગુમાઈ. હવે પ્રૌઢાવસ્થા તો સાધના માટે જ, બાકી સર્વે ગૌણ કરજે. આત્માથી સૌ હીન” હવે રમતગમત નહિ, મોજશોખ નહિ. એક જ કાર્ય આત્મઉપાસના. “ભરત ચક્રવર્તીએ એક સરસ વ્યવસ્થા ગોઠવી હતી. તેઓ જ્યારે સિંહાસન બેસતા. કોઈ વિજય પ્રાપ્ત કરતા, ત્યાં સભામાં સૌ તેમની સ્તુતિ કરતા હોય. પણ થોડાક શ્રાવકો એમને કહેતા : હે રાજન : તમે ષટ્ખંડના વિજેતા ભલે હો, પણ ઇન્દ્રિયવિજેતા નથી. તમે મનોવિજેતા પણ નથી. આ વ્યવસ્થા તેમણે સ્વયં ગોઠવી હતી !” સુરદાસ જેવા ભક્તની ખુમારી કેવી ? તે કહેતા : મેરો મન અનત કહાં ઊડ જાવે ? જૈસે પંખી જહાજ સે ઊડી ફિર જહાજ પે આયે. મન વશ કરવું દુર્લભ છે પરંતુ જો તે પ્રભુના ચરણમાં મૂકવામાં આવે તો સુલભતાથી ઠરે છે. Jain Education International હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy