SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મનને સાધ્યું તેણે સઘળું સાધ્યું. તે ખરો વિજેતા. રણમેદાને તો શરીરના બળ પર ઘણા જીતી ગયા. પણ તે જ શૂરવીર, સ્ત્રીના બે મીઠા શબ્દો પાસે, આંખના ઇશારા પાસે, ધનની વૃદ્ધિ માટે કેવો રાંક બની જાય છે ? માટે ખરો વિજેતા મનને જિતનારો છે. છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈને. શ્રીમદ્ રાજચંદ્ર એથી જ મનોવિજયની સામે ત્રિલોકના વિજયને તણખલા જેવો (શાસ્ત્રકારો) કહે છે. મનોજથી થવું તે તો જીવનનો અર્ક-સ્વતત્ત્વ છે, તે બાહ્ય આરંભ, માન-અપમાન, હર્ષ-શોક જેવાં લોકસંજ્ઞાનાં પરિબળોમાં હોમાઈ જાય છે. ભાઈ, આ સ્વતત્ત્વ તો મહામૂલું છે. તે જ પોતાની માલિકીનું છે. તેમાં સ્વનું મૂલ્ય સમાયેલું છે. એક વાર અંદર ઝાંકીને જો. બહાર વલખાં મારવાનું જવા દે, ત્યાં તારી દયા પણ કોણ ખાય? બધા જ દયાજનક સ્થિતિમાં છે. સંસાર પૂરો દુઃખ-દયામય છે. આ સ્વતત્ત્વ – આત્મત્વ, નિજી વસ્તુ ત્રિકાળાબાધિત છે. જ્ઞાનમય હોવાથી આનંદમય છે. તમે લોકદષ્ટિએ કેટલા આગળ છો, કેટલી પદવી ધરાવો છો એને આ સ્વતત્ત્વ સાથે કોઈ સંબંધ નથી. તમારા વસ્ત્રાલંકાર સાથે પણ કોઈ સંબંધ નથી. આ સ્વતત્ત્વ અધ્યાત્મભૂમિમાંથી પ્રગટ થાય છે. તેને તમારામાં પ્રગટ થવા માટે આ માનવદેહ મળ્યો છે. તેને પ્રગટ થવાની મોકળાશ આપો. તે સ્વબળે ઊછરે છે, ઘાટ ઘડાય છે. આપબળે વિકાસ પામે ૧૨૮ * હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy