SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તે એક સંયોગ છે તેમ જાણતા હોવાથી યોગીને સંયોગાધીન માનઅપમાન પીડા આપતા નથી. વળી દેહાદિની ક્ષણિકતા જાણે છે તેથી તેમાં મૂછ પામતા નથી સદા સ્વસ્થ રહે છે. “એક સર પોતાના શિષ્યવૃંદથી વીંટળાઈને નદીની ઊંચી ભેખડ પર બેઠા હતા. વાર્તાલાપ ચાલી રહ્યો હતો. અચાનક ગુરુએ સાધકોને પૂછ્યું, આ ભેખડ ધસી પડે તો શું થાય? શિષ્યો: નદીના પ્રવાહમાં વહી જવાય. જોકે શિષ્યો સમજતા હતા કે ગુરુદેવનું ઇંગિત કંઈ જુદું છે. તેઓ પ્રશ્નસૂચક મુદ્રામાં ગુરુદેવ સામે જોતાં બેઠા રહ્યા. ગુરુએ કહ્યુંઃ આપણે અત્યારે ભેખડ ઉપર છીએ. ભેખડ ઢળી પડે તો આપણે નદીમાં હોઈએ. અત્યારે ઉપર છીએ પછી અંદર જઈએ, શું ફરક પડે? આ એક ઔદાસીન્યતા છે કોઈ અપમાન કરે કે બહુમાન કરે શું ફરક પડે? યોગી સ્વસ્થ છે. બાહ્ય તમામ પદાર્થોની ઉપર ઉઠેલ છે. આવા યોગી કોઈને રીઝવવા ચેષ્ટ કરતા નથી કે કોઈને દૂભવતા નથી. ન પરને પ્રભાવિત કરે, ન પરથી પ્રભાવિત થાય. આવા સ્વસ્થ યોગી ભીતરમાં આનંદથી છલકાઈ રહ્યા છે. જો અંદર અપૂર્વ આનંદ છે તો લોકો પ્રસન્ન હોય તો શું અને ભીતર તાપ જ તાપ હોય તો લોકો પ્રસન્ન થાય તો શું? યોગી પોતાના ગુણોની – આનંદની સૃષ્ટિમાં મહાલે છે. બીજા જોડે એને શું સંબંધ છે.” ભવ્ય જીવો! આ દુનિયાના પ્રપંચને જવા દો, સૌ કર્માધીન છે. તમે કેવળ ગુણવિકાસ કરતા રહો. દોષોને તિલાંજલિ આપો. પછી તમે પણ સ્વસ્થ અને પ્રસન્ન હશો. હૃદયપ્રદીપનાં અજવાળાં - ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy