SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ રસ છે તેને વળી પ્રદર્શન કેવાં? આત્મરસના અનુભવીને લોકની ભીડની જરૂર નથી, મતપંથની જરૂર નથી. બહારથી કંઈ મેળવવાની અપેક્ષા નથી. આત્મરસ નિમગ્ન મુનિ મૌન થાય છે. આત્મભાવ શું છે ! રાગાદિ પરભાવરહિત અંતરની નિર્મળ દશા છે. તારા હાથમાં એક પાત્રમાં પાણી છે, તારે દૂધ લેવું હોય તો શું કરવું પડે? પાત્રમાંથી પાણી કાઢી નાખવું પડે. તે વાત જેમ તું જાણે છે તેમ ભાઈ મનમાંથી રાગાદિ ભાવ કાઢી નાખવા પડે. તેમ થવા માટે તારે જ્ઞાનીજનોની નિશ્રામાં તેની ચાવી મેળવવી પડે. સંસાર અને સત્સંગ સાથે ચાલે તેવા નથી. વિષયોના રસ ચાખવા તું કેટલો મચ્યો પણ તે રસ તો હાથમાંથી પારો છટકે તેમ ક્ષણમાત્રમાં છટકી જાય છે. સુંદર રસગુલ્લા મુખમાં મૂકે જીભ જરા સ્વાદ લે ત્યાં તો એ પદાર્થ આગળ ધકેલાઈ જાય છે. વારંવાર મૂકવાથી તને એમ લાગે છે કે એ રસ દીર્ઘકાળનો હતો, પણ એમ તો છે નહિ. તે જ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો પણ વિષયના રસને ક્ષણિક જ ભોગવી શકે છે. તેનું લક્ષણ જ ક્ષણિકવર્તી છે તેને તું કેવી રીતે ટકાવી રાખશે ? . આત્મા સ્વયં શાશ્વત નિત્ય છે. તેથી તેના અનુભવનો રસ પણ શાશ્વત અને સાતત્યવાળો છે. એ રસમાં ડૂબેલા મહાત્માઓને આહારાદિ પણ છૂટી જાય છે. શારીરિક જરૂરિયાતો ગૌણ બને છે. બાહ્ય પ્રવૃત્તિનો આધાર જરૂરી નથી લાગતો. એ રસ જાણ્યો તેણે માણ્યો છે. ગાઢ જંગલમાં આત્મરસમાં લીન મહાત્માને ઉપર આભ ઓઢવાનું સાધન છે. નીચે ધરતી શય્યાનું સાધન છે. કુદરતનાં હવાપાણી આહારનું સાધન છે. પોતાનામાં રહેલા સમતાદિ ગુણો તેમના સ્વજન છે. આત્માનુભવ ગુરુ છે. નિર્મળતા સ્વરૂપ પરમાત્મપદ હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy