SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે દષ્ટિ એ તેમનું સદા રક્ષણનું સાધન છે. એ આત્મરસમાં નિમગ્નને સ્વયં સ્વરૂપનું અવલંબન છે. તેને લોકરંજન કે મતપંથમાં નીરસતા છે. “આત્માનુભવ નથી ત્યાં સુધી બીજાને બતાવવાની હોડ ચાલે છે. અંદર ખાલીખમ અને બહાર એવો દેખાવ રાખે છે કે જાણે પોતે પરમ સિદ્ધિ સ્વરૂપ બની ગયા છે. જાત સાથે આવી છેતરપિંડી ! માણસ પોતે જ્ઞાની કે યોગી બની ગયો તે બતાવવાની એટલી બધી મહેનત કરે છે કે ખરેખર એટલી મહેનત જો સાચુકલી રીતે કરે તો તે કદાચ સાચો જ્ઞાની બની જાય ! દરિયા તરફ ચાલતા પ્રવાસીને દરિયો નજીક આવતાં ઠંડા પવનની લહેરખીઓનો અનુભવ થાય છે. અને એ નક્કી કરી લે છે કે દરિયો નજીક છે. એમ રાગદ્વેષ ઓછા થતા જાય તેમ સાધક નક્કી કરી શકે છે કે પોતે પ્રભુના માર્ગ પર ચાલી રહેલ છે. - આમ પરિણામલક્ષી સાધના ન હોય ત્યારે એવું બની શકે કે સાધક લોકરંજન તરફ ઢળી જાય. સાધના દ્વારા લોકરંજન એટલે શ્રેષ્ઠતમ સાધનાનો હલકામાં હલકો ઉપયોગ. ના, સાધક આમ ન કરી શકે. એનો તો જીવનમંત્ર છે. “રીઝવવો એક સાંઈ મારે માત્ર મારા પ્રભુને રીઝવવા છે. ન વિવાદ ન જનરંજન, પ્રભુને રીઝવવાનો એક માત્ર વિચાર જનરંજન પર ચોકડી મૂકી દે છે. અનુભૂતિ આવી ગઈ. નથી હવે વિવાદ કરવાની ભૂમિકા કે નથી હવે જનરંજનની ભૂમિકા.” ૧૦૮ હૃદયપ્રદીપનાં અજવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy