SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ કાવ્યાનુશાસન ના કહેવા પ્રમાણે કાલનામે અધ્યાપકને પાટણની પાઠશાળાઓમાં તેમના વ્યાકરણના અધ્યાપન માટે યોજવામાં આવ્યો હતો. ટને લેક કેવળ ભલેષને અનુલક્ષીને છે; પરંતુ તે ઉપરથી તે સમયની શિક્ષા પ્રણેલી ઉપર પણ કાંઈક પ્રકાશ પડે છે. પ્રથમ વિદ્યાર્થી શબ્દાનુશાસન શીખતો ત્યાર પછી મહાકાવ્યો અને દેશ્યભાષાઓનું–જેમકે મહારાષ્ટ્રી, શૌરસેની, અપભ્રંશ વગેરેનું– અધ્યયન કરતો. દેશ્યભાષાઓના કાષગ્રંથ અને સંસ્કૃત ભાષાના અભિધાનકે ત્યાર પછી તે પાઠ કરી જતો; અને પછી જ કાવ્યરચના કરવામાં તે પ્રવેશ કરતો. કાવ્યરચનાના કાર્યમાં તેને દોરવણી મળે તે માટે અલંકારગ્રન્થનું તે પરિશીલન કરતે. હેમચંદ્રાચાર્યની ગ્રન્થરચનામાં આ જ પરિપાટી દૃષ્ટિગેચરથાય છે. તેમણે શબ્દાનુશાસનની રચના કરી સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ ગ્રંથ આપે. સંસ્કૃત શબ્દકે અને વિસ્તૃત દેશ્ય શબ્દ સંગ્રહની તેમણે રચના કરી. ઉપરના ગ્રંથને અનુકૂળ એવાં દેશ્યભાષા તેમજ સંસ્કૃત ભાષાનાં મહાકાવ્ય વિદ્યાર્થી સમક્ષ તેમણે તેમના અભ્યાસ માટે રચી રજુ કર્યા. ત્યાર પછી કાવ્યાનુશાસનની ભેજના કરી તેમની સમક્ષ સરસ અને સંપૂર્ણ અલંકારગ્રન્થ તેમણે મૂકો. તેમના પિતાના કથન ઉપરથી જ તે અવગત થાય છે ? तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ॥ ૪. હેમસમીક્ષા : પાન. ૪૭; યાદોંધ. ૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy