SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ હેરસમીક્ષા કઈ વિશિષ્ટ ક્રમમાં ગોઠવ્યા નથી. કેટલાક ધાતુઓ એકખા દેશ્ય ધાતુઓ છે; જ્યારે બીજા ધાતુઓ વર્ણવિકાસ્ના (Phonological) અને અર્થવિકારના (Semantical) સામાન્ય નિયમો લાગુ પાડી સંસ્કૃતમાંથી સિદ્ધ કરી શકાય છે. સર જ્યેજ ગ્રિયરસને પ્રાકૃત ધાત્વદેશો ઉપર એક લેખ લખ્યો છે. તેમાં પ્રાકૃત ધાતુઓના તેમણે ચાર વિભાગ પાક્યા છેઃ (૧) કેટલાક ધાતુઓ, સંસ્કૃતમાં છે તે પ્રમાણે જ કાંઈપણ ફેરફાર વિના, પ્રાકૃતમાં પણ છે; કેવળ તેમને વર્ણવિકારના નિયમોજ લગાડવા પડે; (૨) કેટલાક ધાતુઓને, સંસ્કૃત ધાતુઓમાંથી વર્ણવિકારના નિયમો લાગુ પાડીઅવતારી શકાય છે; (૩) કેટલાક ધાતુઓ ચેખા દેશ્ય છે; અને કેટલાક વર્ણવિકારના નિયમોથી ન સમજાવી શકાય તેવા છે; (૪) કેટલાક પ્રાકૃત ધાતુઓ અર્થ-વિકારની દૃષ્ટિએ સંસ્કૃત ધાતુઓ સાથે યોજી શકાય તેમ છે; પરંતુ વ્યાકરણના આદેશમાં તે ધાતુઓને સમાનાથી જુદા જ સંસ્કૃત ધાતુઓના પર્યાય તરીકે નોંધવામાં આવ્યા છે. આ ધાતુઓની ઉપયોગિતા અર્વાચીન દેશ્ય ભાષાઓના અભ્યાસ માટે ઘણું જ છે.” હેમચંદ્રાચાર્યે અપભ્રશ-વિભાગમાં ધેલા દુહાની ચર્ચા કરી લેવી અહીં ઈષ્ટ છે. અપભ્રંશ સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યોધ્યા છે. આ દુહાઓમાં અત્યંત વૈવિધ્ય છેઃ ૧૮ વીરરસપ્રધાન, ૬૦ ઉપદેશાત્મક, ૧૦ જેનધર્મને લગતા, ૫ પૌરાણિક (૧. રાધાકૃષ્ણન; ૧ વામનાવતા 20. Grierson : Memoirs of the Asiatic Society of Bengal Vol. VIII No. 2. 1924. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy