SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ :- ઉપકરણદિને જે પરિછેદ-મર્યાદા તે “વ્યથી માત્રા” છે. સમવસરણની અંદર સિંહાસન ઉપર બિરાજીને ધર્મદેશના આપતા તીર્થકર ભગવાનની જેમ પોતાના આત્માને જે તે “ભાવથી માત્રા” છે. વિવેચન – દ્રવ્ય માત્રામાં ઉપકરણાદિને પરિચ્છેદ એટલે કે ભાજન, પાણી, વસ્ત્ર વિગેરેની મર્યાદા (પરિમાણ) જાણવી, તે જાણવાથી પિતાને ચગ્ય પ્રમાણે પેત આહારાદિ કરવાથી સંયમમાં દ્રવ્ય અને ભાવ આરોગ્યની વૃદ્ધિ થાય છે. તેમજ યોગ્ય મર્યાદિત ઉપકરણે રાખવાથી સંયમમાં સહાય મળે છે. આ બધી મર્યાદા દ્રવ્ય-બાહ્ય વસ્તુને આશ્રયીને હોવાથી તેને “વ્યમાત્રા” કહેવાય છે. અને જ્યારે સાધક પોતાના આત્માને સમવસરણમાં રત્નજડિત સુવર્ણય સિંહાસન ઉપર બેસીને બાર પર્વદા સમક્ષ ધર્મદેશના આપતા તીર્થંકર પરમાત્માની જેમ જુએ છે. એટલે કે તસ્વરૂપે પોતાના આત્માનું ધ્યાન કરે છે, ત્યારે તે દયાનને “માત્રાધ્યાન” કહેવાય છે, તેમાં વિશુદ્ધભાવથી પ્રધાનતા હોવાથી તે “ભાવથી માત્રા” છે, ધ્યાનની આ ભૂમિકા રૂપસ્થ (સાબન) ધ્યાનના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રાપ્ત થાય છે. રૂપસ્થ ધ્યાન એ આલંબન ધ્યાન છે. યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં સૌ પ્રથમ શ્રી તીર્થંકર પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્ય આદિના ચિંતન દ્વારા પરમાત્માની અચિત્ય રૂપ સંપત્તિને આશ્રયીને “રૂપ” ધ્યાન બતાવ્યું છે. ત્યાર પછી આ ધ્યાનના સતત અભ્યાસથી પરમાત્મામાં તન્મય બનેલ સાધક પોતાના આત્માને પણ સર્વજ્ઞરૂપે જુએ છે. એટલે કે “જે આ સર્વજ્ઞ ભગવાન છે તે ખરેખર જ છું.” “g gar” એવી તન્મયતાને અનુભવતે યોગી પોતાને સર્વ માને છે.” એવી અભેદ ભૂમિકાને નિર્દેશ કર્યો છે. સૌ પ્રથમ પરમાત્માનું સમવસરણસ્થિત સાતિશય તીર્થકર ભગવાનનું ધ્યાન વારંવાર કરવા પૂર્વક તેમાં તન્મયતા પ્રાપ્ત કરીને પછી સાધક પોતાને પણ અહિત પરમાત્મા સ્વરૂપે જુએ–ધ્યાવે તો જ તેને ધ્યાનથી વાસ્તવિક સિદ્ધિ મળે છે. અન્યથા પરમાત્માને-અર્થાત્ તેમના આલંબનને બાજુએ રાખી સીધો જ “હ ચદ્ધ, બદ્ધ આત્મા છું” એમ માની પોતાના આત્માનું જ ધ્યાન કર્યા કરે તે ઉભય ભ્રષ્ટ બને છે. શુદ્ધિ અને સિદ્ધિ બંનેથી વંચિત રહી ભવન જ મુસાફર બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy