SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના ક્રમ : મુખ્યતયા અપ્રમત્તમુનિ ઉપશમશ્રેણ કરે છે, મતાંતરે અવિરતિ, દેવરતિ અને પ્રમત્તને પણ ઉપશમશ્રણના અધિકારી માન્યા છે. ઉપશમના ક્રમમાં સૌ પ્રથમ =૧ અનતાનુખ'ધિ ચેાકડી (ક્રોધ-માન-માયા-લેાભ) ના એકીસાથે અન્તર્મુહૂત માત્ર કાળમાં ઉપશમ કરે છે, ત્યારબાદ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ માહનીય એ ત્રણ પ્રકૃતિના સમકાળે ઉપશમ કરે છે, પછી દર નપુ સકવે, સ્ત્રીવેદ, અને હાસ્યાદિ ષટૂંકના અનુક્રમે ઉપશમ કરે છે. પછી પુરૂષવેદના, ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય *ધના ઉપશમ કરી, સ`જ્વલન ક્રેાધને ઉપશમાવે છે, તે પછી અપ્રત્યાખ્યાનીય માન અને પ્રત્યાખ્યાનીય માયાના ઉપશમ કરી, સંજવલન માનના ઉપશમ કરે છે. ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાના ઉપશમ કરી સંજવલન માયાને ઉપશમાવે છે. ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય લેાભના ઉપશમ કરી, સંજવલન લેાભને ઉપશમાવે છે, આ રીતે ઉપશમશ્રેણિ માંડનાર સાધક આત્મા અનુક્રમે મેહનીય ૨૮ પ્રકૃતિના દશમા ગુણુઠાણા સુધી સ'પૂર્ણતઃ ઉપશમ કરી અત્યન્ત આત્મવિશુદ્ધિ મેળવી (આત્મીક સહજ આનંદને અનુભવ કરે છે અને) અગીયારમાં ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં એક સમયથી અ'તર્મુહૂત કાળ પ્રમાણ ઉપશાંત વીતરાગ દશાનેા અનુભવ કરે છે. હજુ સુધી મેાહનીયકનાં અસ્તિત્વના સમૂળ ઉચ્છેદ થયે। ન હેાવાથી, અન્તર્મુહૂત પછી ઉપશાંત થયેલા કષાયેા ફ્રી ઉચમાં આવતાં જે ક્રમથી આત્મા ઉંચે ચડયા હાય છે, તેજ ક્રમથી પાછા નીચે ઉતરવાના પ્રાર'ભ કરે છે. કૈાઇક જીવ છઠ્ઠ:-સાતમા ગુણસ્થાનકે સ્થિર થાય છે, તેા કાઈક પાંચમા કે ચાથા સુધી પહોંચે છે. કાઇકને વળી અન તાનુ ધી કષાયના ઉદય થાય તે। આસ્વાદન” ખીજે ગુણઠાણે આવી પુનઃ મિથ્યાત્વ ગુણુઠાણું આવીને ઉભેા રહે છે. અને કરેલા પ્રખળ પુરૂષાર્થનું ફળ હારી જાય છે. =1 મતાંતરે અનંતાનુબ`ધી કષાયના ઉપશમ નથી માન્ચે, પણ તેની વિસ'ચેાજના થાય છે તેમ માન્યું છે. ક્કર શ્રેણિ પ્રારંભક સ્ત્રી હાય તા પ્રથમ નપુ·સકવેદ, પછી પુરૂષવેદ, પછી હાસ્યાદિ ૬ અને પછી વેદ, એ જ રીતે નપુસક હોય તા પ્રથમ સ્ત્રીવેદ, પછી પુરૂષવેદ પછી હાસ્યાદિ ૬ અને પછી નપુસકવેદના ઉપશમ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy