SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - સમ્યકૃવ, દેશવિરતિ, સર્વવિરતિ, અનંતાનુબંધી, (ક્રોધ-માન-માયા લભ) ની વિસંચજના, દર્શન સપ્તકને ક્ષય, ઉપશામક અવસ્થા, ઉપશાંત મોહ અવસ્થા તથા ક્ષીણમેહ અવસ્થા પ્રાપ્ત થતી વેળાએ જે ગુણશ્રેણિઓ પ્રાપ્ત થાય છે તે.. પરમ બિન્દુ” કહેવાય છે. ત્યાર પછીની બે ગુણશ્રેણિઓ કેવલી ભગવાનને જ હોય છે. અને અહીં તે... છદ્મસ્થના ધ્યાનનું જ નિરૂપણ કરેલું છે. એટલે તે બે ગુણશ્રેણિઓ પરમ બિન્દુમાં ગણી નથી. કર્મના જે દલિકનું ઘણા લાંબા સમયે વેદન થવાનું હોય તેને નીચેની સ્થિતિમાં નાંખી દઈને અલ્પ સમયમાં જ જે વેદન કરવામાં આવે તેને ગુણ શ્રેણિ કહેવામાં આવે છે. કહ્યું છે કે :- ઉપરની સ્થિતિના કર્મ દલિકને નીચેના સ્થાનમાં નાંખવામાં આવે તે ગુણ શ્રેણિ છે. વિવેચન – આગમ-શાસ્ત્રોમાં અને કર્મ સાહિત્યમાં જીવની આધ્યાત્મિક વિકાસની કમિક ભૂમિકાઓનો નિર્દેશ “ચૌદ ગુણ સ્થાનક રૂપે” અને “અગિયાર ગુણ શ્રેણિ” રૂપે બતાવવામાં આવ્યું છે. ગુણ શ્રેણિ” એ મેક્ષ સાધનાની સોપાન પક્તિ છે. એકવાર પણ તેની ઉપર આરૂઢ થયા પછી જીવન અવશ્ય મોક્ષ થાય છે. ગુણ સ્થાનિક અને ગુણશ્રેણિનું સ્વરૂપ :(૧) ગુણ સ્થાનક :- ગુણ એટલે આત્માની જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્ય આદિ શક્તિઓ સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાએ શાનાદિ આત્માના સહજ ગુણો છે. સંસારી અવસ્થામાં તે વિવિધ પ્રકારના આવરણથી ઢંકાયેલા હોય છે. જેમ જેમ એ આવરણ ઘટતા જાય, નષ્ટ થતા જાય તેમ તેમ ગુણેની વિશેષ શુદ્ધિ થતી જાય છે. અને આવરણો જેમ જેમ ગાઢ અને પ્રબળ બનતા જાય તેમ તેમ શુદ્ધિ એ છી થતી જાય છે. આત્મગુણની શુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષના અસંખ્યાત પ્રકારો સંભવે છે. પણ સંક્ષેપમાં તેને ચોદ વિભાગમાં વહેચી આત્મિક ઉત્થાનનો વિકાસ ક્રમ બતાવવામાં આવે છે. તેનું વિશેષ સ્વરૂપ આગળ (સાત પ્રકારની ચિત્તાનું સ્વરૂપ બતાવતી વખતે) વિચારવામાં આવશે ગુણશ્રેણિ - કવૃત્ત આમિક ગુણેનું ઉત્તરોત્તર અધિકાધિક (અસંખ્યાત ગુણ) શુદ્ધિકરણ–નિર્જરા તેનું નામ ગુણશ્રેણિ છે. જે આત્માના જ પરિણામ (જ્ઞાન-ક્રિયાત્મક અધ્યવસાય) વિશેષથી થાય છે. = ઉદય ક્ષણથી પ્રારંભી પ્રતિસમય અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક કમ– દલિની રચના કરવી તે ગુણશ્રણ છે. તે સમ્યફ, દેશવિરતિ, સર્વવિરતિ વિગેરે ગુણવાળા જી અનુક્રમે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ નિર્ભર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy