SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ હઠ યાગ પ્રદીપિકા' આદિ ગ્રંથામાં બતાવેલી હઠયોગની અનેક પ્રક્રિયાઓ-જેવી કે પ્રાણાયામ, ષટૂચક્રભેદન કુલ્ડલિની ઉત્થાન વિગેરેના અંતર્ભાવ આ અને પરમકક્ષા ધ્યાનમાં થયેલા છે. કેમકે લાધ્યાન અને તેની સિદ્ધિ એ ષટ્ચ ભેદન અને કુલિનીના ઉત્થાન (પ્રાણવાયુના ઉધ્વગમન) વિના થતી નથી. રાજયેાગની પદ્ધતિ પ્રમાણે ભક્તિ જ્ઞાન અને કમચાગ દ્વારા પ્રાપ્ત થતી સમાધિમાં હઠયાગની પ્રક્રિયા જેટલે શારીરિક શ્રમ નથી કરવા પડતા. ઈશ્વરપ્રણિધાન જાપ અને સૂત્ર સ્વાધ્યાય આદિ દ્વારા પ્રાણશક્તિ ઉપર સહજ રીતે કાબુ આવે છે. પ્રાણાયામ કે આસનાદિ દ્વારા પ્રાણ નિયમન કરવાની હઠચેાગની પ્રક્રિયામાં શારીરિક શ્રમ અધિકતર હાવાથી તેમાં મન ચંચળ અને સકિલષ્ટ બની જાય એવી શકયતા વધારે પ્રમાણમાં છે, જ્યારે રાજયાગની પ્રક્રિયામાં પ્રાણનિયમન કરતાં મનેા જય તરફ લક્ષ્ય અધિક હેાવાથી તેમાં શારીરીક શ્રમ અપ હોય છે, અને મનને સ્થિર અને નિર્માળ બનાવવા માટે ઈશ્વર પ્રણિધાન જાપ આદિના સરળ-સુગમ ઉપા। આદરવામાં આવે છે. જેથી મન ધીમે ધીમે નિર્મળ અને શાંત બનતું જાય છે. મન અને પ્રાણ અને અન્યેાન્ય સંબધિત હાવાથી એકના વિજયથી ખીજાને પણ વિજય સહજ થઇ જાય છે. માટે જ સાચા મુમુક્ષુ સાધકા હઠયાગ કરતા રાજયાગની સાધનાને જ જીવનમાં અધિકતર માન અને સ્થાન આપે છે. ગુણસ્થાન ક્રમાાહમાં પણ કહ્યુ` છે કે : ઉપરક્ત રીતિએ ‘ક્ષપક શ્રેણિ’ ઉપર આરાહણ કરતી વેળાએ જે પ્રાણાયામનુ વર્ણન કરવામાં આવ્યું છે તે રૂઢિમાત્રથી જાણવું, મુખ્યતયા તા ક્ષપકસાધકને સુવિશુદ્ધ ભાવ એજ ક્ષપક શ્રેણિના મૂળભૂત હેતુ છે, અર્થાત્ પ્રાણાયામ આદિની હઠયોગની પ્રક્રિયાના આશ્રય લીધા વિના પણ વિશુદ્ધ અને પ્રખળ ધ્યાન શક્તિના પ્રાદુર્ભાવ ક્ષપક શ્રેણિવાળા સાધકને થઈ શકે છે. 6 આગળ બતાવવામાં આવતા ના૪-૫૨મનાદ અને બિન્દુ-૫૨મબિન્દુ વિગેરે ધ્યાન પણ પ્રાણશક્તિની વિશિષ્ટ અવસ્થાએ છે. નાદ, બિન્દુ અને કળા આ ત્રણે પ્રાણશક્તિ (આત્મવીય) ની વિકસિત ભૂમિકા છે. આત્મવીના તારતમ્યને લઇને ધ્યાનની જુદી-જુદી કક્ષાએ પડે છે. જ્યાતિ : ज्योति :- चन्द्र, सूर्य, मणि- प्रदीप - विद्युदादि द्रव्यतः भावतोऽ भ्यासादनुत्मन मनसे भूत-भवद्-भविष्यद् बहि वस्तुसुचा विषयप्रकाशः ||७|| Jain Education International ૩૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy