SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ “ધ્યાનશતકમાં” શુકુલ ધ્યાનનો ક્રમ બતાવતાં કહ્યું છે કે – ત્રિભુવન વિષયક ચિન્તનને કમે-કમે સંકેચીને છેવટે એક પરમાણુ પર સ્થાપન કરીને સુનિશ્ચલ ચિત્તવાળો છટ્વસ્થ યોગી ધ્યાન કરી શકે છે. પછી તેમાંથી પણ...ચિત્તને ખસેડી લેવાથી મનરહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્રિભુવન વ્યાપિ વિષયવાળું ચિત્ત કર્મ કિમે અ૮૫ વિષયવાળું બને ત્યારે શુકુલ ધ્યાનને પ્રથમ પ્રકાર “પૃથફત વિતર્ક સવિચાર” ઘટી શકે છે. પરંતુ જ્યારે ચિત્ત એકજ આત્માદિ વસ્તુના એકજ પર્યાયનું ચિંતન કરે છે ત્યારે દ્વિતીય સુલ ધ્યાન “એકત્વ વિતર્ક અવિચાર” હોય છે. એમ તેના લક્ષણો ઉપરથી સમજી શકાય છે. તેના લક્ષણે આ પ્રમાણે છે. + જ્યારે ચિત્ત નિર્વાત સ્થાને રહેલા દીવાની જેમ અત્યંત નિષ્કળ–નિશ્ચલ બન્યું હોય તથા વ્યંજન કે યોગનું સંક્રમણ થતું ન હૈય અર્થાત્ એકમાં જ સ્થિર હેય. તેમજ ઉત્પાદન વ્યય અને વ્યાદિ પર્યાયમાંથી અન્યતર એક પર્યાયનું જ ચિતન થતું હોય તેને “એક-વિતર્ક-અવિચાર” કહેવાય છે. વિશેષ - આ ગ્રંથમાં છથને સંભવતા સર્વ દયાનો વિચાર કરવામાં આવ્યું છે. તેથી પરમ શ્રેય ધ્યાન દ્વારા કુલ ધ્યાનના બીજા પ્રકારનો નિર્દેશ થયો છે એમ સમજી શકાય છે. ધ્યાન અને પરમ ધ્યાનમાં ચિત્તના ચિન્તન વ્યાપારની પ્રધાનતા છે. + શ્રવજ્ઞાનના પ્રભાવે એક પદાર્થના ચિન્તન પછી તરત અન્ય પદાર્થનું ચિન્તન કરે. તેમજ એક શબ્દથી ખાતરનું ચિન્તન કરે. અથવા એક ચગથી અન્ય યોગનું આલંબન લે, એ રીતે નાના અર્થોના ચિન્તનમાં દઢ અભ્યાસ થવાથી આત્મ ગુણનો આવિર્ભાવ થતાં જ્યારે સાધક એકત્વ ચિન્તન માટે યોગ્ય બને. ત્યારે.એક જ કેગના આલંબન વડે ઉપાદાદિ એક જ પર્યાયનું ધ્યાન કરે છે. ત્રિભુવન વિષય વ્યાપી બનેલા મનને ક્રમશઃ સૂક્ષમ બનાવત. બનાવતાં અતિ-સૂક્ષમ આણ વિષયક બનાવે છે. અર્થાત્ એક જ આતમ ગુણ કે પર્યાયનું ચિંતન કરે છે ત્યાર પછી તે એક ગુણ–પર્યાયના ચિંતનમાંથી પણ નિવૃત્ત થતાં ચિત્તને સર્વથા નિરોધ થાય છે. ત્યારે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. જેમ મંત્રવારી મંત્રના બળે શરીરના સર્વ અંગોમાં વ્યાપ્ત વિષને એક સ્થાનમાં લાવી શકે છે તથા પ્રજવલિત અગ્નિમાંથી ઈધન-લાકડા આદિ ખસેડી લેવાથી અગ્નિ પિતાની મેળે બુઝાઈ જાય છે. ત્યાર પછી ધ્યાનાનલ પ્રબળ બનતાં ઘનઘાતી કર્મોને નાશ થતાં કેવળજ્ઞાન અને કેવળદનની પરમ જ્યોતિ પ્રગટે છે. (ગશાસ્ત્ર ૧૧ મે પ્રકાશ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy