SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન ચિતાજ્ઞાન તેનાં સાધનો છે. ચેતન શાન અજુવાળીએ, વળીએ મોહ સંતાપ રે. ચિત્ત ડમડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. હે ચેતન ! તું તારા જ્ઞાનપ્રકાશનો વિકાસ કર. જેથી તારો મોહ અંધકાર ટળી જશે. ચિત્તની ડામાડોળ સ્થિતિ પર કાબૂઆવશે. આત્માના સહજ ગુણમાં રમણતા થશે. જીવ અને જડ પદાર્થો વચ્ચે ભેદની રેખા દોરનાર ચિત્તશક્તિ જ્ઞાનશક્તિ છે. એના દ્વારા જ આત્મા સમગ્ર પદાર્થોથી અલગ જણાય છે. સ્વના ભાનના વિસ્મરણથી શું બન્યું? કેવી ભયંકરતા? 29 હે ચેતન! સુખ મેળવવા તે શું શું કર્યું? પર્વતના શિખરો સર કરી આવ્યો. સાગરના પેટાળમાં ડૂબકી મારી આવ્યો. વન ઉપવનમાં રખડી આવ્યો. દેવાદિ ગતિમાં જઈ આવ્યો. જરા વિચાર કર. કેટલું ભટક્યો? કેટલું દોડ્યો? અનંતકાળના આ પરિભ્રમણ પછી તારા હાથમાં શું આવ્યું? ભૂલ ક્યાં છે? ભૂલ ટાળવી છે? તો તારી ચેતનની જાત પર શ્રદ્ધા કર. તું શરીર નથી, શુદ્ધ આત્મદ્રવ્ય છું. તું જ પરમાત્મા છું. તારી આ દૃષ્ટિથી હૃદયની ગૂઢ ગ્રંથિ (મિથ્યાત્વ) ભેદાઈ જાય છે. સર્વ સંશયોનો ઉચ્છેદ થાય છે. સર્વ કર્મો ક્ષય પામે છે. તે અનાદિ અનંત અવિનાશી જ્ઞાનાદિ ગુણોયુક્ત અમૂર્ત કર્મરહિત એવો આત્મા છું. તું જ સાધક, સાધ્ય અને સિદ્ધ છું. સ્વપર શ્રેયરૂપ આવી શ્રદ્ધામાં તું સ્થિર થા, થવા પ્રબળ પુરુષાર્થ કર. આત્માને ઉદ્દેશી થયેલી જે વાતો હોય (છે) તે કોઈ સમાજ, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ વગેરે વિષયના જ્ઞાનની ન જ હોય પણ તે ધર્મશાસ્ત્રોના જ્ઞાનની હોય. સદ્ગુરુ સમાગમે પૂર્ણ શુદ્ધતાનું જ્ઞાન થાય, તે ભેદ ટળી જાય. અભેદ અવસ્થા પ્રગટે. બાકી કોરા લૂખા શાસ્ત્રજ્ઞાનથી આત્માને શો ફાયદો ! શાસ્ત્રજ્ઞાની (અભવ્ય) બુદ્ધિબળે આત્મા પરમાત્માને જાણે છે પણ હૃદયથી ૧૫૦ શ્રી કલાપૂર્ણપ્રબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy