SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ફરવું પડે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. ગુરુવંદન જેમ ગુરુ ભગવંત પોતાના સ્વરૂપના ભોક્તા છે તેમ તે જ વંદન, વંદન કરનારને સ્વરૂપનું ભોક્તાપણું આપે. અથવા ગુરુવંદન કર્મના ભોગવટામાંથી છૂટકારો આપે. - (૫) મોક્ષ છે : ચતુર્વિંશતિસ્તવ (લોગસ્સ) સિદ્ધા સિધ્ધિ મમ દિસંતુ સિદ્ધો મને મોક્ષ આપે. સિદ્ધને નમસ્કાર તો જ થઈ શકે જો મોક્ષ હોય. (૬) મોક્ષનો ઉપાય છે : સમાયિક = સમતા – સમતાથી કર્મનો ક્ષય, કર્મક્ષયથી નિર્જરા નિર્જરાથી મોક્ષ, સમતા એ મોક્ષનો ઉપાય છે. અરિહંત : ક્રોધને છોડી ક્ષમાશીલ બનો. જુઓ મેં મારા જીવનમાં દુશ્મનો તરફ પણ ક્રોધ કર્યો નથી. સિદ્ધ : માન છોડી નમ્ર બનો. નાનાને પણ બહુમાન ભાવથી જુઓ. હું નિગોદના જીવને પણ મારો સાધર્મિક બંધુ ગણું છું. સાધુ ઃ માયા છોડી સરળ બનો. સરળ હોય છે તે જ સાધુ બને છે ને તેની જ શુદ્ધિ થાય છે. = ધર્મ : લોભ છોડી સંતોષી બનો. હું જ પરલોકમાં ચાલનાર વાસ્તવિક ધન છું. મને જે અપનાવશે તે સંતોષી બનશે. ભગવાન ક્યાં છે તે ન પૂછો. તમે ક્યાં છો તે પૂછો. બોલાવ્યે શાન્ત થાય કો ક્ષમાવાન થાય પ્રસંગે ધૈર્યવાન થાય જરૂરિયાતે વિશાળ થાય ભૂમિકાએ સંયમી થાય વિચાર્યે સંસ્કારી થાય. માનવ જો..... ઔચિત્યે સાત્વિક થાય અધિકારે પ્રૌઢ થાય ચારિત્ર્યબળે સૌનો વિશ્વાસુ થાય. ૧૩૦ Jain Education International For Private & Personal Use Only શ્રી કલાપૂર્ણપ્રબોધ www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy