SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ ૪૩ છગનલાલનું ધ્યાન રાખવાની ભલામણ કરીને આગળ વિહાર કરી ગયા. છગનલાલને મોટાભાઈ ખીમચંદભાઈ તરફથી દીક્ષા માટે સંમતિ મળી નહિ, એટલે વાત વિલંબમાં પડી ગઈ. તેમ છતાં કિશોર છગનલાલે દીક્ષા લેવા માટે પોતાની હઠ ચાલુ રાખી. છેવટે ખીમચંદભાઈને નાના ભાઈ છગનલાલની ત્યાગ-વૈરાગ્યની ભાવનાની ખાતરી થઈ. એમણે સંમતિ આપી. કિશોર છગનલાલની દીક્ષા લેવાની ભાવના સફળ થઈ. વિ. સં. ૧૯૪૩ના વૈશાખ સુદ ૧૩ના રોજ રાધનપુર શહેરમાં આત્મારામજી મહારાજે સંઘ સમક્ષ છગનલાલને દીક્ષા આપી. એમનું નામ મુનિ વલ્લભવિજય રાખવામાં આવ્યું અને મુનિ વલ્લભવિજયને મુનિ હર્ષવિજયના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. દીક્ષા પછી તેમનું પ્રથમ ચાતુર્માસ રાધનપુરમાં જ થયું. વિ. સં. ૧૯૪પમાં બીજું ચાતુર્માસ મહેસાણામાં કરી તેઓ રાજસ્થાન તરફ ગયા. ૧૯૪૬માં પાલીમાં શ્રી આત્મારામજી મહારાજે એમને વડી દીક્ષા આપી. ત્યારપછી થોડા વખતમાં એ જ વર્ષમાં એમના ગુરુ શ્રી હર્ષવિજયજી દિલ્હીમાં કાળધર્મ પામ્યા, એટલે મુનિ શ્રી વલ્લભવિજયને તો પોતાના દીક્ષાગુરુ શ્રી આત્મારામજી મહારાજની સાથે રહેવાનું થયું. એમણે એમની પાસે રહીને શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. એમણે “અમરકોશ', “અભિધાન ચિંતામણિ', “કલ્પસૂત્રની સુબોધિકા ટીકા', દશવૈકાલિકસૂત્ર” ઉપરની, “હરિભદ્રની ટીકા”, “આવશ્યકસૂત્ર', ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ ઈત્યાદિનો અભ્યાસ શ્રી આત્મારામજી મહારાજ પાસે રહીને કર્યો. સં. ૧૯૫૨માં આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યાં સુધી તેઓ ઘણુંખરું તેમની પાસે જ રહ્યા. આત્મારામજી મહારાજની અંગત દેખરેખ નીચે આ રીતે તેમણે ઊંડો વિદ્યાભ્યાસ કર્યો. એથી સમુદાયના બધા સાધુઓમાં તેમની પરિપક્વતાની અને તેજસ્વિતાની આત્મારામજી મહારાજને પાકી પ્રતીતિ થઈ ગઈ હતી અને શાસનની ધુરા પોતાના પછી મુનિ વલ્લભવિજયને નિશ્ચિતપણે સોંપી શકાશે એવો દઢ વિશ્વાસ તેમને બેઠો હતો. એથી જ “મારા પછી વલ્લભ પંજાબને સંભાળશે' એમ આત્મારામજી મહારાજે પોતાના અંતિમ દિવસેમાં પંજાબના સંઘોને જણાવ્યું હતું. જિનમંદિરોની સાથે સાથે સરસ્વતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy