SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ ૩૮૩ રમતી ગમતી હમુને સાહેલી, બિહું મળી લીજિયે એક તાળી, સખી, આજ અનોપમ દિવાળી.” વંદના, વંદના, વંદના રે જિનરાજ કું સદા મોરી વંદના.” અખિયનમેં અવિકારા, જિગંદા તેરી અખિયન મેં અવિકારા.” મનમંદિર આવો રે, કહું એક વાતલડી, અજ્ઞાની સંગે રે, રમિયો રાતલડી.” શ્રી સરસ રંગરસિયા રંગ રસ બન્ય, મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે, મનમોહનજી.” આવી અનેક મનભર પંક્તિઓના રચયિતા શ્રી વીરવિજયજી મહારાજનો જીવનવૃત્તાંત પણ એવો જ રસિક છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી અને શ્રી દેવચંદ્રજી મહારાજ પછી જૈન પરંપરામાં લોકપ્રિય સાધુકવિ અને આત્મજ્ઞાની મહાત્મા તરીકે શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન અનોખું છે. જેનેતર પરંપરાના સમર્થ ભક્તકવિ દયારામના સમકાલીન શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળો અને અન્ય પ્રકારની રચનાઓ દ્વારા લોકોનાં હૈયાં જીતી લીધાં છે. એમણે લખેલી સ્નાત્ર પૂજા આજે લગભગ દોઢસો વર્ષથી રોજેરોજ સવારે હજારો જિન મંદિરોમાં ગવાય છે. એમણે લખેલા અષ્ટપ્રકારી પૂજાના દુહા તથા શત્રુંજયના દુહા પણ રોજેરોજ હજારો ભાવિકો હોંશથી બોલે છે. શ્રી વીરવિજયજી મહારાજે લખેલી સહજ, સરળ અને ભાવોર્મિથી સભર, ઉલ્લાસમય એવી કેટલીયે પંક્તિઓ હૃદયમાં વસી જાય એવી છે. બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી વીજવિજયજીએ પોતાના ગુરુ ભગવંત શ્રી શુભવિજયજી પાસેથી બીજજ્ઞાન, સુધારસની યોગક્રિયા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા હતાં. પોતાના ગુરુમહારાજ તરફથી પ્રાપ્ત થયેલા કૃપાપ્રસાદ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy