SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ પ્રભાવક સ્થવિરો વાત્સલ્યને કારણે એમણે પોતાનું ઉપનામ પણ “શુભવીર' એવું રાખ્યું હતું. શ્રી વીરવિજયજી મહારાજ વિશે કેટલીક આધારભૂત માહિતી મળે છે. એ માટે મુખ્ય બે કૃતિઓનો આધાર ઘણો જ મહત્ત્વનો છે. એક તે શ્રી વીરવિજયજી મહારાજે પોતે પોતાના ગુરુમહારાજ શ્રી શુભવિજયજી વિશે લખેલી કૃતિ તે શુભવેલી અને બીજી કૃતિ તે શ્રી વીરવિજયના કાળધર્મ પછી એમના શિષ્ય શ્રી રંગવિજયજીએ લખેલી “પંડિત શ્રી વીરવિજયજી નિર્વાણ રાસ.' આ બે કુતિઓ ઉપરાંત શ્રી વીરવિજયજીએ પોતે પોતાની કૃતિઓમાં કરેલા કેટલાક નિર્દેશો પણ માહિતી પૂરી પાડે છે. તદુપરાંત એમના સંપર્કમાં આવેલા સૂબાજી રવચંદભાઈ જેચંદભાઈએ કેટલીક હકીકતો લખેલી અને ત્યારપછી મહારાજશ્રીના બીજા એક મુખ્ય ભક્ત શ્રી હીરાભાઈ પુંજાશાના પુત્ર શ્રી ગિરધરભાઈએ પોતાના પિતા તથા દાદા પાસેથી જાણીને લખેલી કેટલીક વિગતો પ્રાપ્ત થાય છે. શ્રી વીરવિજયજી મહારાજનો જન્મ અમદાવાદમાં વિક્રમ સંવત ૧૮૨૯ના આસો સુદ ૧૦ના દિવસે શાન્તિદાસના પાડામાં થયો હતો. એ જગ્યા ઘીકાંટા પાસે આવેલી હતી. (હવે એ જગ્યા રહી નથી.) ત્યાં જશેશ્વર (યજ્ઞેશ્વર) નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ વિજકોર (વિજયા) હતું. તેને એક પુત્રી હતી. એનું નામ ગંગા હતું. જગ્નેશ્વરને એક દીકરો હતો. તે બહુ દેખાવડો હતો. એનું નામ કેશવરામ હતું. આ કેશવરામ તે શ્રી વીરવિજયજી. બંને સંતાનો મોટાં થતાં, તેમને પરણાવવામાં આવ્યાં હતાં. કેશવરામનાં લગ્ન દહેગામની રળિયાત નામની એક બ્રાહ્મણ કન્યા સાથે થયાં હતાં. કેશવરામનાં લગ્નની ચોક્કસ સાલ મળતી નથી. પરંતુ અઢાર વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી, એટલે લગ્ન થયાં ત્યારે એમની ઉંમર અઢાર વર્ષથી પણ ઓછી હશે. એમનાં લગ્ન પછી થોડા સમયમાં એમના પિતા જશેશ્વર મરણ પામ્યા હતા. લગ્ન પછી એક વખત કેશવરામને કાઠિયાવાડમાં ભીમનાથ (ધોલેરા પાસે) નામના ગામે જવાનું થયું. તે દરમિયાન અમદાવાદમાં એમના ઘરમાં ચોરી થઈ. તેઓ પાછા આવ્યા ત્યારે માતા અને પુત્ર વચ્ચે એ અંગે બોલાચાલી થઈ. તેઓ પાછા આવ્યા ત્યારે માતા અને પુત્ર વચ્ચે એ અંગે બોલાચાલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy