SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી મૂલચંદજી મહારાજે વિ. સં. ૧૯૪૪નું ચોમાસું પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છાયામાં કર્યું. અહીં તેમની તબિયત બગડવા લાગી હતી. પગમાં જે ફોલ્લો ઊઠ્યો હતો તે મટતો ન હતો. એટલે એમને ચાતુર્માસ પછી પાલિતાણાથી ભાવનગર પધારવા માટે વૃદ્ધિચંદ્રજી મહારાજે વિનંતી કરી હતી. તે પ્રમાણે વિનંતી કરવા ભાવનગર સંઘના આગેવાનો પાલિતાણા પહોંચ્યા હતા. મૂળચંદજી મહારાજ શિષ્ય પરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૈદોએ જુદા જુદા ઉપચારો કર્યા, પરંતુ ખાસ ફરક પડ્યો નહિ. અશક્તિ દિવસે દિવસે વધવા લાગી. વૃદ્ધિચંદ્રજી મહારાજ ખડે પગે તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪પના માગસર વદ-૬ (મારવાડી મિતિ પોષ વદ ૬)ના દિવસે મૂળચંદજી મહારાજની તબિયત વધારે બગડી. તેઓ પોતાનો અંતિમ સમય પારખી ગયા અને અનશન સ્વીકારી લીધું. તેઓ બોલ્યાઃ भाई वृद्धिचन्द्रजी ! अब तो हम चले । सबको सम्हालना ।। हमसे जिन शासनकी प्रभावना उपासना जो कुछ बन पडी, सो कर ली. अब तुम ही सब सम्हालना વ | નમો રિહંતા[ ll બપોરે ત્રણ કલાક અને વીસ મિનિટના સમયે એમણે ૧૯ વર્ષની વયે દેહ છોડ્યો. ભાવનગરના સંઘે દાદાસાહેબના કમ્પાઉન્ડમાં તેમના પાર્થિવ શરીરને અગ્નિસંસ્કાર કર્યો. જૈન સંઘના એક મહાન યુગપ્રભાવક મહાત્મા સ્વર્ગે સિધાવ્યા. દાદાસાહેબના કમ્પાઉન્ડમાં એમના અગ્નિસંસ્કારના સ્થળે ત્યારપછી સમાધિ મંદિર બાંધવામાં આવ્યું. મુક્તિવિજયજી ગણિવર્યને એટલે કે મૂલચંદજી મહારાજને ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જૈન શાસનના રાજા તરીકે ઓળખાવવામાં આવતા હતા. એમના કાળધર્મ વખતે વૃદ્ધિચંદ્રજી મહારાજ રાધનપુરમાં હતા. કાળધર્મના સમાચાર સાંભળતાં જ તેમણે પોતાના સાધુઓએ ગંભીર સ્વરે કહ્યું : “साधुओ, शासन का सम्राट चला गया । वे बडे थे, बडे गंभीर गुणज्ञ और समयज्ञ थे । इन में शासन को नेता बनने के गुण थे, और वो ही शासन के सच्चे શિરતીન થે ’ મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજને અંજલિ આપતાં કેટલાંક ગીતો લખાયાં છે, એમાંથી થોડીક પંક્તિઓ જુઓઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy