SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ - - - અનુયોગ સંપાદનકાર્યમાં પ્રારંભમાં તો અનેક મુશ્કેલીઓ નડી. જેમકે, આગમના શુદ્ધ સંસ્કરણોની પ્રતોનો અભાવ, પ્રાપ્ત પાઠોમાં ક્રમ ભંગ અને ખાસ કરીને બનાવ” શબ્દનો અનપેક્ષિત અનાવશ્યક પ્રયોગ, છતાં પણ ધીરે ધીરે જેમ જેમ આગમ સંપાદનકાર્યમાં પ્રગતિ થતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ પણ દૂર થતી ગઈ. મહાવીર જૈન વિદ્યાલય - મુંબઈ, જૈન વિશ્વભારતી - લાડનું તથા આગમ પ્રકાશન સમિતિ - બાવર આદિ પ્રકાશન સંસ્થાઓનો એ ઉપકાર જ માનવો જોઈએ કે આજ આગમોના સુંદર ઉપયોગી સંસ્કરણો ઉપલબ્ધ છે અને તે મોટા ભાગે પહેલાં કરતાં શુદ્ધ-સુસંપાદિત છે. જો કે આજ પણ ઉક્ત સંસ્થાઓના નિર્દેશકોની આગમ-સંપાદનશૈલી પૂર્ણ વૈજ્ઞાનિક અથવા જેવી જોઈએ તેવી નથી. લિપિ દોષ, લેખકનાં મતિ ભ્રમ તથા વાચના ભેદ વગેરે કારણોથી આગમોના પાઠોમાં અનેક સ્થાનો પર વ્યસ્કમ જોવા મળે છે. પાઠભેદ તો છે જ –“નાવ' ક્યાંક અનાવશ્યક જોડી દેવાયો છે, જેનાથી અર્થ બદલાઈ પણ જાય છે, ક્યાંક લગાવવામાં નથી આવ્યો અને ક્યાંક સંપૂર્ણ પાઠ આપીને પણ “કાવ'' લગાવી દીધો છે. પ્રાચીન પ્રતિઓમાં આ પ્રકારના લેખન-દોષો રહી ગયા છે. જેનાથી આગમનો યોગ્ય અર્થ કરવામાં તથા પ્રાચીન પાઠ-પરમ્પરાનો બોધ કરાવવામાં મુશ્કેલી પેદા થાય છે. વિદ્વાન સંપાદકોએ આ પાસા ઉપર ધ્યાન આપવું જોઈતું હતું. પ્રાચીન પ્રતિઓમાં ઉપલબ્ધ પાઠ જેમનો તેમ રાખવો અડગ શ્રત શ્રદ્ધાનું રૂપ નથી, આપણી શ્રુતભક્તિ પાઠોને વ્યવસ્થિત અને શુદ્ધ રૂપમાં પ્રસ્તુત કરવામાં છે. કોઈ કોઈ વાર એક પાઠની તુલના કરવામાં અને યોગ્ય પાઠનું નિર્ધારણ કરવામાં કેટલાંય દિવસ કે સપ્તાહ પણ લાગી જાય છે. પરંતુ વિદ્વાન સંશોધક તેને યોગ્ય સ્વરૂપમાં જ પ્રસ્તુત કરે છે. આજ આવા પ્રકારના આગમ-સંપાદનની જરૂર છે. અસ્તુ. હું મારી શારીરિક અસ્વસ્થતાના કારણે, વિદ્વાન સહયોગીઓના અભાવના કારણે તથા પરિપૂર્ણ સાહિત્યની અનુપલબ્ધી અને સમયાભાવના કારણે જેવો સંશોધિત શુદ્ધ પાઠ આપવા માંગતો હતો તેવો આપી નથી શક્યો, છતાં પણ મેં પ્રયત્ન કર્યો છે કે પાઠ શુદ્ધ રહે. લાંબા લાંબા સામાસિક પદોનું ઉચ્ચારણ દુષ્કર હોય છે તથા ઉચ્ચારણ કરતી વખતે અનેક આગમપાઠીઓ પણ ઉચ્ચારણદોષ કરી બેસે છે. આવા દુરૂહ પાઠો સંગમ સ્વરૂપે પ્રસ્તુત કરી નાનાં નાનાં પદો બનાવી મૂકવામાં આવે અને બરાબર સામે જ તેમનો અર્થ આપવામાં આવે તે અર્થબોધ સરળ બની જાય. જો કે જે સંસ્કરણનો મૂળ પાઠ લીધો છે, હિન્દી અનુવાદ પણ તેનો જ મોટા ભાગે લીધો છે, છતાં પણ સાવધાની રાખીને વ્યવસ્થિત કરેલ છે. ક્યાંક ક્યાંક ઉચિત સંશોધન પણ કર્યું છે. ઉપર્યુક્ત ત્રણ સંસ્થાઓ ઉપરાંત આગોદય સમિતિ - રતલામ તથા સુત્તા (પફભિખુજી)ના પાઠો પણ ઉપયોગી થયા છે. પૂજ્ય અમોલક ઋષિજી મ., પૂજ્ય ઘાસીલાલ જી મ. તથા આચાર્યશ્રી આત્મારામજી મ. દ્વારા સંપાદિત અનુવાદિત આગમોનો પણ યથાવશ્યક ઉપયોગ કર્યો છે. હું ઉક્ત આગમોના સંપાદક વિદ્વાનો અને શ્રદ્ધેય મુનિવરોનો આભારી છું. પ્રકાશન સંસ્થાઓ પણ ઉપકારક છે. તેમનો સહકાર કૃતજ્ઞ ભાવથી સ્વીકારવો તે અમારે કર્તવ્ય છે. હવે પ્રસ્તુત ગ્રંથ 'ચરણાનુયોગ' વિષયમાં પણ કંઈક કહેવા ઈચ્છું છું. ચરણાનુયોગ : આગમોનો સાર આચાર છે. - ‘એTM fh સારી ?’ ‘માય!' આચારાંગ આગમ તો અંગોનું સારભૂત આગમ છે જ, પરંતુ આચાર અર્થાત 'ચારિત્ર' તે આગમન - શ્રતનો સાર છે. “શીની વિરતઃ ” જ્ઞાનનું ફળ વિરતિ છે. શ્રુતનો સાર ચારિત્ર' છે. આથી ચારિત્ર સંબંધી વિવરણ આગમોમાં યત્ર-તત્ર ઘણી અધિક માત્રામાં મળે છે. આમ પણ કહી શકાય કે ચારિત્રનો વિષય સહુથી વિશાળ તથા વ્યાપક છે. ધર્મકથાનુયોગની જેમ ચરણાનુયોગ પણ વર્ણનની દ્રષ્ટિથી વિસ્તૃત છે. આથી આની સામગ્રી અનુમાનથી અધિક થઈ ગઈ. એટલા માટે આને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. ૧૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy