SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Sછે સારા સારા-સાર, ૯ આગમોનો કેવી રીતે વિસ્તાર થયો છે તે સ્પષ્ટ થઈ જાય છે. ક્યો પાઠ આગમ સંકલનકાળની પછીથી પ્રવિષ્ઠ થયો છે ? આગમપાકોમાં આગમલેખન પૂર્વે તથા પછી વાચનાભેદનાં કારણે તથા દેશકાળના વ્યવધાનનાં કારણે લિપિક-કાળમાં શું તફાવત છે ? ક્યો આગમપાઠ સ્વ-મતનો છે, ક્યો પાઠ પરમતની માન્યતાવાળો છે ? તથા ભ્રાંતિવશ પરમતમાન્યતાવાળો ક્યો પાઠ આગમમાં સંકલિત થઈ ગયો છે ? આ પ્રકારનાં અનેક પ્રશ્નોનું સમાધાન આ શૈલીથી મળી જાય છે. જેનું આધુનિક શોધ છાત્રો/પ્રાચ્યવિદ્યાના સંશોધક વિદ્વાનો માટે ઘણું મહત્ત્વ છે. અનુયોગ કાર્યનો પ્રારંભ: લગભગ આજથી ૬૦ વર્ષ પહેલાં મારા મનમાં અનુયોગ વર્ગીકરણ પદ્ધતિથી આગમોનું સંકલન કરવાની ભાવના જાગી હતી. શ્રી દલસુખભાઈ માલવણિયાએ તે સમયે મને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી અને નિઃસ્વાર્થ - નિસ્પૃહ ભાવથી આત્મિક સહયોગ આપ્યો. તેમની પ્રેરણા અને સહયોગ મેળવી મારો સંકલ્પ દઢ થતો ગયો અને હું આ શ્રુતસંવામાં જોડાઈ ગયો. આજના અનુયોગગ્રંથો તે બીજનાં મધુર ફળો છે. સર્વપ્રથમ ગણિતાનુયોગનું કાર્ય સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રી ફતેહચંદજી મ.સા.ના સાનિધ્યમાં શરૂ થયું હતું. પરંતુ તેનું પ્રકાશન તેઓશ્રીના સ્વર્ગવાસ બાદ થયું. થોડા સમય પછી ધર્મકથાનુયોગનું સંપાદન કાર્ય શરૂ કર્યું. તે બે ભાગોમાં પરિપૂર્ણ થયું, ત્યાં સુધીમાં ગણિતાનુયોગની પ્રથમ આવૃત્તિ અપ્રાપ્ય થઈ ચૂકી હતી. તથા અનેક સ્થળેથી તેની માંગ આવતી રહેતી હતી. આ કારણે ધર્મકથાનુયોગની પાછળ ફરી ગણિતાનુયોગનું સંશોધન શરૂ કર્યું. સંશોધન શું, લગભગ ૫૦ટકા નવું સંપાદન જ થઈ ગયું. તેનું પ્રકાશન પૂર્ણ થયા બાદ ચરણાનુયોગનું આ સંકલન પ્રસ્તુત છે. કહેવત છે "શ્રેયસ વહુ વિપ્ન” શુભ અને ઉત્તમ કાર્યમાં અનેક વિઘ્નો આવે છે. વિજ્ઞ મુશ્કેલીઓ આપણી દ્રઢતા અને ધીરતા, સંકલ્પ-શક્તિ અને કાર્યનિષ્ઠાની પરીક્ષારૂપ છે. મારા જીવનમાં પણ આવી પરીક્ષાઓ અનેકવાર આવી છે. અનેકવાર શરીર અસ્વસ્થ થયું. ભારે બીમારીઓ આવી, સહયોગી પણ ક્યારેક મળ્યા ક્યારેક નહિ, પરંતુ પોતાના કાર્યમાં હું લાગ્યો રહ્યો. સંપાદનમાં સેવાભાવી વિનયમુનિ વાગીશ' પણ મારી સાથે સહયોગી બન્યા, તેઓ આજ પણ શારીરિક સેવાની સાથોસાથ માનસિક દ્રષ્ટિથી પણ મને પરમ સાતા આપી રહ્યા છે. ગુજરાતી ભાષાનું જ્ઞાન નહીં હોવા છતાં પણ પ્રૂફ તપાસવાં સક્રિય બની ગયા અને અનુયોગ સંપાદનમાં પણ સંપૂર્ણ જાગરૂકતા સાથે સહકાર આપી રહ્યાં છે. ખંભાત સંપ્રદાયના આચાર્ય પ્રવર શ્રી કાન્તિઋષિજી મ. એ મારા પર અનુગ્રહ કરીને વ્યાકરણાચાર્ય શ્રી મહેન્દ્રષિજી મ. ને શ્રુત સેવામાં સહકાર આપવા માટે મોકલ્યા હતા, આથી હું તેઓનો હૃદયથી કૃતજ્ઞ છું. સંપાદકીય – સહયોગ: - વિદુષી મહાસતી ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી અને તેમની સાક્ષર શિપ્યા પરિવારનો એવો અનુપમ સુયોગ મળ્યો કે અનુયોગનું કાર્ય આગળ વધતું ગયું. મને અતીવ પ્રસન્નતા છે કે તે શ્રમણીઓએ આ કાર્યમાં તન્મય બનીને જે સહયોગ આપ્યો છે તેનો ઉપકાર આગમ-અભ્યાસીઓ યુગ-યુગ સુધી યાદ કરશે. તેઓની રત્નત્રય-સાધના સર્વદા સફળ હો એ જ મારો હાર્દિક આશીર્વાદ છે. ૧૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy