SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ધર્મકથાનુયોગ–મહાવીર–તીર્થ માં ઉગિતા કથાનક સૂત્ર ૨૨૧ બાળકનું ગોત્રાસ નામકરણ૨૧૭. તત્પશ્ચાત્ તે બાળકના માતા-પિતાએ તેનું આ અને આ પ્રમાણે નામકરણ કર્યું. “કારણ કે અમારા આ બાળકના જન્મતાં જ મોટે મોટેથી રડવાનો અવાજ ભયંકર, ચીત્કારપૂર્ણ અને કર્ણકટુ હતો, આ બાળકનો કર્ણ કટુ અવાજ સાંભળીને અને ઓળખીને હસ્તિનાપુર નગરના ઘણા બધા સાંઢ, ભયભીત, ત્રસ્ત, વ્યાકુળ, ઉદ્વિગ્ન અને ભયાક્રાંત થઇને આમતેમ ચારે બાજુ ભાગવા માંડયા, તેથી અમારા આ બાળકનું નામ “ગોત્રાસ' એવું રહો.” તત્પશ્ચાત્ તે ગોત્રાસ બાળક બાળ-ભાવને ત્યાગીને યુવાવસ્થાને પામ્યો. ભીમના મરણ પછી શેત્રાસન ગ્રાહત્વ૨૧૮. તત્પશ્ચાતું તે ભીમ કૂટગ્રાહ કોઈ સમયે કાળધર્મ પામ્યો. તત્પશ્ચાત્ ગત્રાસ બાળકે પોતાના અનેક મિત્રો, જ્ઞાતિજનો, સ્વજન સંબંધીઓ સાથે ક્રદ-રુદન, વિ પિ કરતાં કરતાં ભીમ કૂટગ્રાહનો દાહ સંસ્કાર કર્યો, ત્યાર બાદ અનેક લ કિક મૃતક સંબંધી ક્રિયાઓ કરી. તત્પશ્ચાત્ કોઈ એક સમયે સુનન્દ રાજાએ સ્વયમેવ નેત્રાસને કૂટગ્રાહ રૂપે સ્થાપિત કર્યો. ત્યાર પછી તે ગોત્રાસ ફૂટગ્રાહ બની ગયા અર્થાત્ કૂટગ્રાહ નામે પ્રસિદ્ધ થઈ ગયો. તે ખૂબ જ અધાર્મિક યાવનું દુપ્રત્યાનન્દ –મુકેલીથી પ્રસન્ન કરી શકાય તેવો હતો. ઓનાં અંગો કાપી જતો અને લઈને પોતાના ઘરે આવતો રહેતો. તત્પશ્ચાત્ તે ગોત્રાસ કૂટ ગ્રાહ ભૂળ પર પકાવેલા તળેલા, બાફેલા, સેકેલા અને મીઠાથી સંકૃત કરેલા ગોમાંસ તેમ જ સુરા, મધું, મેરક, જાતિ, સીધુ અને પ્રસન્ના મદિરાનો આસ્વાદ લેતો, વાર-વાર પીતાં પીવડાવતો અને ખાતો-ખવડાવતો પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યો. તત્પશ્ચાત્ આ પ્રકારનાં કર્મોથી, આ પ્રકારનાં કાર્યોનું પ્રધાન આચરણ કરવાથી, આ પ્રકારની પાપવિદ્યા અને આચરણ કરીને તે ગોત્રાસ કૂટગ્રહ પાપકર્મોનું ઉપાર્જન કરીને પાંચસો વર્ષના પૂર્ણ આયુષ્યનો ઉપભોગ કરીને ચિંતા અને દુ:ખથી પીડિત થઈને કાળ સમયે મરણ પામીને બીજી તરકપૃથ્વીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નારકમાં નારકરૂપે ઉતપન્ન થયો. ઉઝિતકના વત માનભરનું વર્ણન૨૨૦. તપશ્ચાતુ વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા નામે ભાર્યા જાતનિંદુકા-મૃતવંધ્યા હતી કે જન્મ લેતાં જ તેનાં બાળકે વિનાશ પામતાં, મરી જતાં. તદનન્તર તે ગોત્રાસ ફૂટગ્રાહ બીજી નારક પૃથ્વીમાંથી નીકળીને આ વાણિજ્યગ્રામનગરમાં વિમિત્ર સાર્થવાહની ભાર્યા સુભદ્રાની કુશિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યાર બાદ નવ માસ પૂર્ણ થયા પછી સુભદ્રા સાર્થવાહીને પુત્રનો પ્રસવ થયો. બાળકનું ઉજ્જિતક નામકરણ૨૨૧. તત્પશ્ચાત્ ને સુભદ્રા સાર્થવાહીએ ઉત્પન્ન થતાં જ બાળકને નિર્જન સ્થાને આવેલા ઉકરડા પર ફેંકાવી દીધો અને પછી ત્યાંથી ઉપડાવી યથારીતિ ક્રમપૂર્વક સંરક્ષણ તેમ જ સંગાપન કરી તેનું પરિવર્ધન કરવા લાગી. તદનન્તર તે બાળકના માતા-પિતાએ મહાન ઋદ્ધિ સત્કાર અને સમારેહ સાથે સ્થિતિ ગેવાનું માંસભક્ષણ અને નરમદભવ– ૨૧૯, તપશ્ચાત્ તે ગોત્રાસ ફૂટગ્રાહ દરરોજ અર્ધરાત્રિએ એકાકી થઈને સૈનિક સમાન કવચ આદિથી રક્ષિત થઈને ભાવતુ આયુધ અને પ્રહરણ લઈને પોતાના ઘરેથી નીકળતો, નીકળીને જ્યાં ગૌમંડપ હતો ત્યાં જતો, જઈને નગરનાં અનેક સનાથ-અનાથ પશુઓ યાવત્ ને પશુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy