SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર-તીર્થ માં ચુનીપિતા કથાનક : સૂત્ર ૧૪૪ ૧૧૯ ત્યારે મેં તે અત્યંત તીવ્ર યાવનું વેદનાને સમભાવપૂર્વક સહન કરી અને ક્ષમા, તિતિક્ષાપૂર્વક મારી સાધનામાં મગ્ન રહ્યો આ પ્રમાણે મારા વચલા પુત્રને પણ કર્યું થાવત્ તે વેદનાને મેં ક્ષમા અને તિતિક્ષાપૂર્વક સહન કરી. આમ કર્યા પછી પણ તે પુરુષે મને નિર્ભય થાવત્ ધર્મધ્યાનમાં રત જોયો તો ચોથી વાર મને આ પ્રમાણે કહ્યું- “ ઓ રે ગુલની પિતા શ્રમણોપાસક ! યાવત્ જો તું તારું શીલ આદિ તેડીશ નહીં તો હું આ જ ક્ષણે દેવ અને ગુરુ જેવી પૂજનીય તારી માતાને લઈ આવીશ થાવત્ તું મરી જઈશ.' તદન્તર તે પુરુષનું આ કથન સાંભળીને પણ હું નિર્ભય થાવત્ ધર્મધ્યાનમાં રત રહ્યો. ત્યારે તે પુરુષે મને નિર્ભય યાવતું સાધનામાં મગ્ન જોય, જોઈને બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું “ રે શ્રમણોપાસક અલનીપિતા! થાવત્ પ્રાણથી હાથ ધોઈ નાખીશ.' ત્યાર બાદ તે પુરુષ દ્વારા બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેવાયાં પછી મને આ પ્રમાણે અ ધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે-અરે આ અધમ પુરુષે યાવતુ પાપકર્મો કર્યા છે કે પહેલા મારા જયેષ્ઠપુત્રને ઘરેથી પકડી લાવ્યો યાવનું માંસ શોણિત છાંટયું. હવે તમને પણ ઘરેથી લઈ આવી મારી સામે મારી નાખવા ઈચ્છે છે. તેથી તે પુરુષને પકડી લાવવાનું મને યોગ્ય લાગ્યું-આમ વિચાર કરીને હું તેને પકડવા દોડશે. પરંતુ તેને આકાશમાં ઊડી ગયો અને પકડવા માટે પહેલા કરેલા હાથમાં આ થાંભલો આવી ગયો, તેથી મેં મોટેથી બૂમો પાડી. ચુલની પિતાએ કરેલું પ્રાયશ્ચિત૧૪૪. તદત્તર ભદ્રા સાર્થવાહીએ શ્રમણોપાસક ફુલની પિતાને આ પ્રમાણે કહ્યું-“ન તે કોઈ પુરુષ તારા જયેષ્ઠ પુત્રને ઘરેથી ઉઠાવો લાવ્યો છે અને ન ઉઠાવીને તારી સામે માર્યો છે. ન તો તારા વચલા પુત્રને કોઈ ઘરેથી ઉઠાવી લાવ્યું છે અને ન તો તારી સામે માર્યો છે અને ન તો કોઈ પુરુષ તારા કનિષ્ઠ પુત્રને ઘરેથી ઉપાડી લાવ્યો છે અને ન તારી સામે મારી નાખ્યો છે. આ તો કોઈ પુરુષે તારી પર ઉપસર્ગ કર્યો છે. આ તો તે મિશ્યા કલ્પિત ઘટના (દશ્ય) જોઈ છે. જેથી તારુ વ્રત, નિયમ અને પૌષધ ખંડિત થઈ ગયા, તો હે પુત્રા નું હવે વ્રતભંગ કર્યાની આલોચના કર, પ્રતિક્રમણ કર, નિન્દા કર, ગહ કર, તેનાથી નિવૃત્ત થઈ જા, આ કાર્યની શુદ્ધિ કર, યાચિત પ્રાયશ્ચિત્ત કરવાની તૈયારી કરી અને તદર્થ તપ:ક્રિયા સ્વીકાર કર.” નદાર ચુલનીપિતા શ્રમણોપાસકે “તમે પગ્ય જ કહો છો' એમ કહીને માતા ભદ્રા સાર્થવાહીની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને તે સ્થાન-ઘનભંગરૂપ કાર્યની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું, નિન્દા કરી, ગહ કરી, તેને વિપ્રોટિન કર્યું અને તે ન કરવા લાયક કાર્યની વિશુદ્ધિ માટે યથોચિત પ્રાયશ્ચિત્ત કરીને હેતુ માટે તત્પર થઈને તપ કર્મનો સ્વીકાર કર્યો. ચુલની પિતા દ્વારા ઉપાસક-પ્રતિમાઓ ગ્રહણ કરવી. ૧૪૫. તદન્તર ચુલનીપિતા શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમા અંગીકાર કરી. પહેલી ઉપાસક પ્રતિમાને ચુલનીપિતા શ્રમણપાસકે યથાસૂત્ર, યથાક૯૫, યથામાર્ગ, યથાતત્વ અર્થાત્ શાસ્ત્ર, આચાર મર્યાદા, વિધિ અને સિદ્ધાંત અનુસાર સમ્યક પ્રકારે ગ્રહણ કરી, પાલન કરી, શાલિન કરી અથવા શોભિત કરી. ઉત્તીર્ણ-પૂર્ણ કરી, કીર્તિત કરી, આરાધના કરી. તદન્તર ચુલનીપિતા શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમાને આરાધિત કરી અને આ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠો, સાતમી, આઠમી, નવમી, દસમી અને અગીયારમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy