SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ધર્મકથાનુયોગ-આનંદ ગાથાપતિ કથાનક સૂત્ર ૮૮ પથદર્શક, પ્રમાણભૂત યાવત્ બધા કાર્યોને વધારનાર હતો. તે આનંદ ગૃહપતિને શિવાનંદા નામે ભાય હતી. તે સર્વાંગસુંદરી યાવતુ સુંદર રૂપવાળી હતી. તે આનંદ ગૃહપતિમાં અનુરક્ત હતી અને તેની સાથે ઈષ્ટ શબ્દાદિ મનુષ–સંબંધી કામ ભાગોનો અનુભવ કરતી વિચરતી હતી. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશા અર્થાત ઈશાનકાણમાં કલ્લાક નામે સંનિવેશ-ઉપનગર હતુ. તે સમૃદ્ધવાળું, નિરુપદ્રવ, દર્શનીય, સુંદર કાવત્ મનને પ્રસન્ન કરનાર હતું. તે કલ્લાક સંનિવેશમાં આનંદ ગૃહપતિના ઘણા મિત્રો, જ્ઞાતિજને, સ્વજને, સંબંધી અને પરિજનો હતા, તે બધા ધાર્મિક યાવનું કોઇથી પરાભવ ન પામે તેવા હતા. મહાવીર-સમવસરણ – ૮૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વાણિજયગ્રામ નગરમાં દૂનિપલાશ ચૈત્યમાં પધાયાં અને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. પરિષદ નીકળી અને વાંદીને પાછી ગઈ. કોણિક રાજાની પેઠે જિતશ રાજા પણ વંદન કરવાને નીકળ્યો-પાવતુ-પપૃપાસના કરવા લાગ્યો. આનંદનું સમવસરણમાં ગમન અને ધમ શ્રવણ૮૬. ત્યાર પછી આનંદ ગૃહપતિ મહાવીર સ્વામી આવ્યાની વાત સાંભળો ‘શ્રમણ ભગવાન મહાવીર ક્રમાનુક્રમે ફરતા ફરતા ગામોગામ વિહાર કરતા કરતા અહીં આવ્યા છે, અહીં જ વાણિજય ગ્રામ નગરની બહાર દૂપિલાશ ચૈત્યમાં સમોસય છે અને યથાયોગ્ય અભિગ્રહ ધારણ કરતા, તપ અને સંયમયી આત્માને ભાવિત કરતા વિહરે છે. ને અરહિંત ભગવંતેનું નામ-ગેત્ર શ્રવણ પણ મહાફળવાળું છે તો વંદન-નમસ્કાર વગેરેનું કરવું મહાફળવાળું હોય તેમાં શું કહેવું? માટે હું જાઉં અને યાવતુ તેમની પર્યું પાસના કરું. -એ વિચાર તેણે કર્યો, વિચાર કરી શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા લાયક વસ્ત્રો ધારણ કરી અલ્પ અને મહામૂલ્ય અલંકારો વડે અલંકૃત શરીરવાળો થઈ પોતાના ઘરથી બહાર નીકળ્યો, નીકળીને કરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્ર ધારણ કરી મનુષ્યોના સમૂહથી વીંટાયેલ, પગે ચાલીને વાણિજ્યગ્રામ નગરના મધ્યભાગમાં થઈને નીકળો અને જ્યાં દૂનિપલાશ ચૈત્ય હતું ત્યાં આવ્યો, આવીને ત્રણ વાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર થાવત્ પય્ પાસના કરવા લાગ્યા. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે આનંદ ગૃહપતિને તથા તે અત્યંત મોટી પરિષદને ધર્મપદેશ કર્યો. પરિષદ પાછી ગઈ અને રાજા પણ પાછો ગયો. આનદે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો – ૮૭. ત્યારબાદ આનંદ ગૃહપતિ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, હદયમાં અવધારી, પ્રસન્ન અને સંતુષ્ટ થઈ આ પ્રમાણે બોલ્યો- હે ભગવન! નિગ ન્થ પ્રવચન ઉપર વિશ્વાસ કરું છું. હે ભગવન્! નિર્ગુન્થ પ્રવચન ઉપર રુચિ કરું છું-વાવનુ-આપ કહો છો તે એમ જ છે. હે ભગવન્! તેમ જ છે. દેવાનુપ્રિય! આપની પાસે જેમ ઘણા રાજા, યુવરાજો, રાજ. સ્થાનીય પુરુષ, માડ બિકો, કટુ બકો, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહો વગેર મુડિત થઇને ગૃહવાસ છોડી અનગાર થયા તેવી રીતે હું મુંડિત બની પ્રવજ્યા ગ્રહણ કરવા સમર્થ નથી. પરંતુ હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપી બાર પ્રકારના ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરીશ.. ભગવાને કહ્યું- દેવાનુપ્રિય ! જેમ સુખ ઊપજે તેમ કર-ઈચ્છા પ્રમાણે કર, પણ પ્રતિબન્ધ–વિલંબ ન કર.” આનંદ ગૃહપતિના ગૃહસ્થધમ-શ્રાવક ધર્મનું વિવરણ - ૮૮. ત્યારબાદ તે આનંદ ગૃહપતિએ શ્રમણ ભગ વંત મહાવીર પાસે સર્વપ્રથમ સ્થૂલ પ્રાણાતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy