SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીર–તીમાં નંદ મણિયાર કથાનક : સૂત્ર ૮૩ ત્યાર પછી-ધાડાના પગમાં કચરાયા પછીતે દર શક્તિહીન, બળહીન, વીય હીન, પુરુષાથ' હીન, એવા બનીને, જીવન ધારણ કરવું હવે શકય નથી એમ વિચારી એક બાજુ એકાંતમાં ગયે અને બે હાથ જોડી શિરસાવત પૂર્વક અજિલ રચી. આ પ્રમાણે બાલ્યા – ‘અરિહંતા યાવત્ સિદ્ધિતિ નામે સ્થાને પહોંચેલા અર્થાત્ સિદ્ધોને નમસ્કાર હો. શ્રમણ ભગવાન મહાવીરને યાવત્ સિદ્ધિગતિ નામે સ્થાને પહોંચવાની ઇચ્છાવાળાને નમસ્કાર હો. પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે સ્થૂળ પ્રાણાતિપાત યાવત્ સ્થૂળ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કર્યું' હતું, તેા ના વેળાએ પણ હું તેમની જ સમીપે સર્વ પ્રકારે જીવનપર્યં ત સમસ્ન પ્રાણાતિપાત યુવત્ સમસ્ત પરિગ્રહનુ પ્રત્યાખ્યાન કરું છું, જીવનપર્યંત સ` પ્રકારના અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય આહારનું પ્રત્યા ધ્યાન કરું છું, આ જે મારું ઈષ્ટ અને કાંત શરીર છે—યાવત્“જેના વિષયમાં મેં ઈચ્છયું હતુ કે તેને કોઇ પણ પ્રકારના રોગ, આતંક, પરિગ્રહ કે ઉપસર્ગ ન સ્પર્શે તેવા શરીરને પણ અતિમ શ્ર્વાસાાસ સુધી ત્યજુ છુ.' આ રીતે તેણે પૂણ પ્રત્યાખ્યાન કર્યું . દુરની દૈવતારૂપે ઉત્પત્તિ – ત્યાર પછી તે દર મરણકાળે મરીને યાવત્ સૌધ કલ્પમાં દદુરાવત...સક વિમાનની ઉપપાત સભામાં દદુર દેવરૂપે ઉત્પન્ન થયા છે. હે ગૌતમ ! આ રીતે તે દદુર દેવે આવી દેવઋદ્ધિ ભેળવી છે, પ્રાપ્ત કરી છે, અધિગત કરી છે.’ ‘હે ભગવંત! દદુરદેવની તે દેવલાકમાં કેટલા કાળની સ્થિતિ છે ?” [ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું.. [પ્રત્યુત્તર રૂપે ભગવાને કહ્યું-] ‘હે ગૌતમ! ચાર પલ્પાપમની સ્થિતિ કહેવામાં આવે છે.' તે દદુર દેવ તે દેવલાકમાંથી ચ્યવન કરી કર્યાં જશે ? કર્યાં ઉત્પન્ન થશે ?” Jain Education International હે ગૌતમ ! તે દદુર દેવ આયુક્ષય, ભવક્ષય, સ્થિતિક્ષય થતાં તરત જ ત્યાંથી અવિત થઇને મહાવિદેહ ક્ષેત્રમાં જઇ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વાં દુ:ખાના અંત કરશે.’ મહાવીર-તીમાં નંદમણિયાર-કથાનક સમાપ્ત ce ✩ ૫. મહાવીર–તીમાં આનંદ ગાથાપતિ કથાનક. વાણિજ્યગ્રામમાં આનંદ ગાથાતિ – ૮૪, તે કાળે અને તે સમયે વાણિજયગ્રામ નામનુ નગર હતું-અન્ય નગરોની જેમ આનું પણ વણ ન સમજવું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) દૂનિપલાશ નામનુ ચૈત્ય હતું. તે વાણિજ્યગ્રામ નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા, રાજાનું વન કાણિકની જેમ સમજવુ. તે વાણિજ્યગ્રામ નગરમાં આનંદ નામક ગાથાતિ રહેતા હતા, જે ધનાઢય-યાવતૂ-કોઇથી પરાભવ ન પામનાર હતા. તે આનંદ ગૃહપતિએ ચાર સુવણ કોટિ (ચાર કરાડ સુવણ મુદ્રાએ) નિધાનમાં-કોષમાં રાખેલી હતી, ચાર સુવણ કોટિ વૃદ્ધિ માટે વ્યાજમાં રોકેલી હતી અને ચાર સુવણ'કોટિ વ્યાપાર-વ્યવહારમાં રાકેલી હતી, અને વળી તેની પાસે દશ દશ હજાર ગાયાના એક એવા ચાર વ્રજ-ગાકુળા હતાં. For Private Personal Use Only તે આનંદ ગૃહપતિ ઘણા રાજા માંડલિક, તલ વર, માડબિક કૌટુંબિક, ઈલ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ યાવત્ સાથે વાહોના ઘણા કાર્યોમાં, બાબતમાં, મંત્રણામાં તથા કુટુંબાનાં ગુહ્ય રહસ્મા, નિશ્ચયા અને વ્યવહારોમાં પૂછવા માગ્ય, સલાહ લેવા મેાગ્ય હતા. પાતાના કુટુંબના પણ આધારસ્થંભ, www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy