SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—પા નાથ-તીમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૪૧ wwwm wwwwwm ચિત્તસારથી હતા ત્યાં તેઓ ગયા, જઈને બંને હાથ જોડીને યાવતું ચિત્તસારથીને વધાવ્યા અને આ પ્રમાણે નિવેદન કર્યું– ‘ હૈ દેવાનુપ્રિય ! તમને જેના દર્શનની આકાંક્ષા છે યાવત્ અભિલાષા કરો છો અને જેમનું નામ, ગાત્ર સાંભળીને પણ તમે આનંદ પામા છો યાવત્ વિકસિત-હૃદય થા છે તેવા તે કેશી કુમારામણ પૂર્વાનુપૂર્વી (અનુક્રમ) થી ચાલતા ચાલતા, એક ગામથી બીજે ગામ ફરતા ફરતા અહીં મુગવન ઉદ્યાનમાં સમવસ્તૃત થયા છે, પધાર્યાં છે, યાવત્ વિચરણ કરી રહ્યા છે.’ ૪૧. ત્યારે તે ચિત્તસારથી તે ઉદ્યાનપાલકોની આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરી હિત, સન્તુષ્ટ યાવત્ વિકસિત-હૃદય થઈને પેાતાના આસનેથી ઊભા થયા, પાદપીઠથી નીચે ઊતર્યાં, ઊતરીને પાદુકાઓ ઉતારી, એક ખભે ખેસ નાખ્યા અને મુકુલિત હસ્તાગ્રપૂર્વક અજિલ રચીને જે દિશામાં કેશી કુમારશ્રમણ ઊતર્યાં હતા તે દિશામાં સાત-આઠ પગલાં ચાલ્યા અને ચાલીને બંને હાથ જોડીને આવતા પૂર્વક મસ્તક પર અંજિલ રચીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા ૧૮ ‘અહિ’ત ભગવત-યાવત્ સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત સિદ્ધ ભગવન્તને નમસ્કાર હજો. મારા ધર્માંચાય તેમ જ ધર્મ(પદેશક કેશી કુમાર શ્રમણને નમસ્કાર હજો. અહીયાં રહેલા હુ ત્યાં બિરાજમાન ભગવન્તની વંદના કરુ છું. ત્યાં વિરાજમાન રહેલા તે મને જુએ—આ પ્રમાણે કહીને વંદન નમસ્કાર કર્યાં. ત્યાર પછી ઉદ્યાનપાલકોનું વિપુલ વસ્ત્ર, ગંધ, માળા અને અલકારોથી સત્કાર-સન્માન કર્યું, સત્કાર સન્માન કરીને પુષ્કળ આજીવકા-માગ્ય પ્રીતિદાન (પારિતેષિક) આપ્યું અને પારિકૃષિક આપી વિદાય કર્યા, વિદાય કરીને સેવકજનાને બાલાવ્યા તથા બાલાવીને તેમને આ પ્રમાણે આશા આપી— Jain Education International ૫૫ wwwwwwww ‘દેવાનુપ્રિયા ! શીઘ્ર ચાર ઘટવાળા અશ્વરથ જોતરીને હાજર કરો-યાવત્ તે આશા પાલન કર્યાની જાણ કરો. અર્થાત્ મને તેની સૂચના આપે.’ ત્યાર પછી સેવકજનાએ યાવત્ તરત જ છત્ર અને ધ્વજાથી શે।ભતા રથને ઉપસ્થિત કર્યાં અને આશાપાલનની જાણ કરી. ત્યાર પછી સેવકજના પાસેથી રથ લાવવાની વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટતુષ્ટ યાવત્ વિકસિત હૃદય થઈને ચિત્તસારથીએ સ્નાન કર્યું", બલિકમ કર્યું અને શરીરને વિભૂષિત કર્યું" અને પછી જ્યાં શ્રેષ્ઠ ચાર ઘંટવાળા અશ્વરથ હતા ત્યાં આવ્યા, આરૂઢ થાયાવત્ આરૂઢ થઈને કોરટ પુષ્પાની માળાથી શાભિત છત્રને ધારણ કરીને સુભટો આદિ વિશાળ સમુદાય સહિત રવાના થયા, પહોંચ્યા યાવતુ પયુ પાસના કરવા લાગ્યા, કેશોકુમાર શ્રમણે ધર્મોપદેશ આપ્યા પન્ત અવશિષ્ટ કથન પહેલાંની જેમ જ અહીં કરવું જોઈએ. ત્યાર પછી તે ચિત્તસારથી કેશીકુમાર શ્રમણ પાસેથી ધ શ્રવણ કરીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ તુષ્ટ થતા પાનાના આસનેથી ઊઠો, ઊઠીને કેશીકુમાર શ્રમણ પાસે આ પ્રમાણે નિવેદન કર્યું”— For Private & Personal Use Only હે ભગવન્ત ! અમારા પ્રદેશી રાજા અધામિ`ક છેન્યાવતુ રાજકર લઈને પણ પેાતાના જનપદનું સારી રીતે રક્ષણ અને પાલન કરતા નથી, તે હે દેવાનુપ્રિય ! જો તમે તે પ્રદેશી રાજા પાસે ધમ આખ્યાન કરશેા-ધર્મોપદેશ કરશા તા તે પ્રદેશી રાજા માટે તેમ જ અનેક બેપગા, ચાપગા, મૃગ, પશુ, પક્ષી, સરીસૃપા આદિ માટે ઉપરાંત ઘણા બધા શ્રમણબ્રાહ્મણા માટે ખૂબ ખૂબ ગુણકારી-હિતાવહ, લાભદાયક થશે. હે દેવાનુપ્રિય ! જો તે ધર્મોપદેશ પ્રદેશી રાજા માટે અતીવ હિતકર બની શકશે તેા તેના જનપદદેશનું પણ ભલું થશે, ’ www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy