SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૪૫ ધ્યાનમાં મગ્ન રહ્યા. આ સ્થિતિ સામાન્ય સાધક માટે બધુ જ કઠિન હતી. વીણાવાદકોએ ભગવાનને કહ્યું : જરા થે અમારુ વિણવાદન સાંભળીને આગળ વધે. કેટલાક નૃત્ય–સંગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, વગેરે મોરંજક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નિવેદન કરતા, પણ ભગવાન પ્રતિકૂળ અને અનુકુળ પરિસ્થિતિને ધ્યાનમાં વિનરૂપ સમજીને એમાંથી વિરક્ત રહેતા તથા પોતાના ધ્યાનમાં સ્થિર રહેતા.૧ ભગવાન મહાવીરની સંયમસાધનાનાં મુખ્ય આઠ અંગ હતાં. : શરીરસંયમ, મનસંયમ, વાસ-સ્થાન:સંયમ, ઈન્દ્રિયસંયમ, નિદ્રાસંયમ, ક્રિયા-સંયમ અને ઉપકરણસંયમ તેઓ વિવિધ પ્રકારના આસન, ત્રાટક વગેરે સહજ ગની ક્રિયાઓ વડે શરીરને સુસ્થિર, સંતુલિત, મેહ–મમતા રહિત, સ્મૃતિવાન રાખવાનો પ્રયાસ કરતા હતા. ભગવાનની નિદ્રાસંયમવિધિ અદ્દભુત હતી તે ધ્યાન નિદ્રાસંયમ કરતા હતા. નિદ્રા પર વિજય પ્રાપ્ત કરવા માટે તેઓ કઈ વખતે ઊભા રહેતા, તો કોઈ વખત ચક્કર ચક્કર ફરતા હતા. તો કઈ વખતે તેઓ એવા ઉપાય કરતા કે જેનાથી નિદ્રા એમને પરેશાન ન કરે. ૨ ભગવાન મહાવીરને વાસસ્થાનમાં પ્રાયઃ આવા પ્રકારના ઉપસર્ગ સહન કરવા પડતા હતા. કોઈ વખતે સાપનેળિયા એમને કરડતા. ક્યારેક ગીધ વગેરે પક્ષીઓ એમના માંસને ખેંચતાં હતાં. કોઈવાર કીડીઓ, ડાંસ, મચ્છર, માખીઓ વગેરે એમને ત્રાસ આપતાં. કે ઇવાર શય્યાગૃહમાં તસ્કર અગર તે લંપટ પુરુષ એમને સતાવતા. કેઈવાર સશત્ર રક્ષક એમના પર આક્રમણ કરતા. કોઈવાર કામાસક્ત લલનાઓ હાવ-ભાવ-કટાક્ષ દ્વારા તેમને પિતાના તરફ આકર્ષવા પ્રયાસ કરતી, કોઈવાર દેવ, માનવ અને તિર્યોના વિવિધ પ્રકારના ઉપસર્ગ ઉપસ્થિત થતા અને કેઈવાર કેટલાક એકાકી સમજીને ભગવાનને વિવિધ પ્રકારના ઉટપટાંગ પ્રશ્નો પૂછીને ધ્યાનમાં વિચલિત કરવાનો પ્રયાસ કરતા ભગવાનને રહેવા માટે કેઈવાર દુર્ગન્ધયુક્ત સ્થાન પ્રાપ્ત થતું તે કઈવાર ખાડાખડિયાવાળું સ્થાન મળતું, કેઈવાર બંધિયાર સ્થાનના અભાવમાં ઠંડીને પ્રકોપ પણ એમને પરેશાન કરતે. આ પ્રમાણે સાડા બાર વર્ષ સુધી યત્નશીલ અપ્રમત્ત થઈને ભગવાન ધ્યાન રહ્યા. આવશ્યકણિ અનુસાર ભગવાન મહાવીરે વિચાર કર્યો કે મારાં ઘણાંબધાં કર્મોની નિર્જરા કરવી છે, એટલે લાઢ દેશ તરફ જાઉં, જેથી અધિક પ્રમાણમાં કર્મ-નિર્જરા કરવાનું નિમિત્ત ઉપલબ્ધ થાય. એવું વિચારીને ભગવાન લાઢ પ્રદેશમાં પધાર્યા. ઐતિહાસિક અનવેષણના આધારે એવું માલુમ પડે છે કે વર્તમાનમાં વીસ્કૂમ, સિંહભૂમ તથા માનભૂમ (ધનબાદ વગેરે જિલ્લાઓ) તેમજ પશ્ચિમ બંગાલના તમલૂક, મિદનાપુર, હુબલી તથા વર્ધમાન જિ૯લાને વિભાગ લાઢ દેશ માનવામાં આવતો હતો. લાઢ દેશ પર્વતો ઝાડીઓ અને સધન જંગલેને કારણે અત્યંત દુર્ગમ હતો. એ પ્રદેશમાં ખૂબ પ્રમાણમાં ઘાસ ઊગતું હતું. ચારે બાજુ પર્વતો વડે ઘેરાયેલ હોવાથી તે પ્રદેશમાં ઠંડી અને ગરમી વધુ પ્રમાણમાં પડતી હતી. વર્ષાઋતુમાં પાણી વધુ પ્રમાણમાં હોવાથી ભૂમિ એવી લથબથ થઈ જતી કે ડાંસ, મચ્છર વગેરે અનેક જીવજંતુઓ પેદા થઈ જતાં. અહીં નગર ઓછાં હતાં. અને ગામડાઓમાં પણ વસતિ ઓછી હતી. અહીંના લેકે અસભ્ય હતા. સાધુઓને જોઈને એમના પર તૂટી પડતા હતા. ત્યાં તલ પણ હતા નહિ અને ગાયે પણ બહુ ઓછી હતી, એટલે ઘી, તેલ સુલભ ન હતાં. લેકા લૂખું-સૂકુ ખાતાં હતાં, એટલે તેઓ સ્વભાવથી પણ રૂક્ષ હતા.૪ વાતવાતમાં ઉશ્કેરાઈને ગાળ દેતાં, ઝઘડા કરતાં. અહીં કૂતરાઓને ઘણો ઉપદ્રવ હતા. વળી તે કુતરાઓ પણ ઘણું ખૂંખાર હતા. અન્ય તીર્થિક ભિક્ષુઓ એનાથી બચવા માટે લાઠી અને દંડા રાખતા હતા, પણ ભગવાન તે પૂર્ણ અહિંસક હતા. એમની પાસે લાઠી વગેરે કાંઈ નહોતું, એટલે કુતરા નિઃશંક થઈને ભગવાન પર હુમલો કરતા, કેટલાક અનાર્યો તે કૂતરાને “છું, છું,' કરીને બોલાવતા તથા ભગવાનને કરડવા તેઓને ઉશ્કેરતા." આવા દુષ્કર અને દુર્ગમ પરિસહ તેમજ ઉપસર્ગો ભગવાન મહાવીર શાંતિથી સહન કરતા. જે સાધકની ચેતનાનું સ્તર નિગ્ન હોય છે, એને શારીરિક કષ્ટની અનુભૂતિ અધિક પ્રમાણમાં થાય છે. પરંતુ ભગવાન મહાવીરની ચેતનાનું સ્તર તે બહુ ઊંચુ હતું. તેઓ ચાહે કેટલું પણ કઠોર તપ કરતા હતા, પરંતુ સાથે ૧. આયા રે () મુનિ નથમલ, પૃ. ૩૪૩ ૨. આચારાંગ-શીલા ૦ ટીકા, પત્ર ૩૦૭-૩૦૮ ૩. આચારાંગ-શીલા. ટીકા. પત્ર ૩૦૭ ૪. આવશ્યકચૂર્ણિ, પૃ. ૩૧૮ ૫. આચારાંગશીલાંકાચાર્ય ટીકા, પત્ર ૩૧૦-૩૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy