SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન ૪૧. વગેરે શબ્દનો પ્રયોગ રાજ માટે પણ થાય છે. પ્રવચનસારોદ્વારમાં “મહસેણે ય ખત્તિ એ' શબ્દ આવે છે. ત્યાં ટીકાકારે ક્ષત્રિયને અર્થ રાજા જ કર્યો છે. જે આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથમાં આ પ્રમાણે વર્ણન છેઃ ભગવાન મહાવીરનો જન્મ થયો તે વખતે દેવોએ સુવર્ણ, રત્ન વગેરે સિદ્ધાર્થ રાજાના ઘરમાં લાવીને રાખ્યાં તથા જભક દેવોએ પણ રત્ન વગેરેની વર્ષા કરી, એટલે ભગવાનનું નામ “વર્ધમાન રાખવામાં આવ્યું એ ઉલલેખ નથી. પણ આચારાંગક, મહાવીરચરિયર્ક, ચઉપગ્નમહાપુરિસચરિયપ ત્રિષષ્ટિશકાલાંપુરષચરિત્ર વગેરેમાંથી પ્રાપ્ત વર્ણન પ્રમાણે એ સ્પષ્ટ છે કે નિરંતર ધન-ધાન્યની અભિવૃદ્ધિ થઈ હોવાથી એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. તેઓ કોઈપણ પ્રકારને ભય ઉપન્ન થવા છતાં વિચલિત થયા નહીં, એટલે એમનું બીજું નામ મહાવીર પડયું. આચારાંગ, કલ્પસૂત્ર૬, આવશ્યક નિર્યુક્તિ, મહાવીરચરિયં°, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર૧ વગેરેમાં પણ આ અંગે સમર્થન મળે છે. વર્ધમાન, મહાવીર, સન્મતિ, કાશ્યપ, સમણ, જ્ઞાતપુત્ર, વિદેહ, વૈશાલિક વગેરે વિવિધ નામ અનેક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. ભગવાનનાં માતાપિતા પાર્થાપત્ય શ્રમણોપાસક હતાં. જીવનના સંધ્યા સમયે સંલેખના સહિત આયુષ્ય પૂર્ણ કરીને તેઓ દેવ બન્યાં. આચારાંગ તથા કલ્પસૂત્રમાં એમનાં ત્રણ ત્રણ નામ પ્રાપ્ત થાય છે. તથા પરિવારના સભ્યોના નામ પણ આપેલાં છે. મહાવીર વાર્ષિક દાન આપી ખૂબ ઉલ્લાસની ક્ષણેમાં એકાકી દીક્ષિત થાય છે. દીક્ષા લેવાની સાથે એમનામાં મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એક સંવત્સરથી વધારે માસ સુધી ભગવાન વસ્ત્રધારી રહે છે. એ પછી તે અલક (વસ્ત્રવિહીન) બની ગયા. એમણે વિવિધ પ્રકારના અભિગ્રહ ગ્રહણ કર્યા હતા. મનુષ્ય દેવ તથા તિર્યંચ અંગેના જે કઈ ઉપસર્ગ ઉપસ્થિત થયા. તેને શાંતભાવથી પ્રભુએ સહન કર્યા. આચારાંગ વગેરેમાં કેવલ ઉપસર્ગો અંગે ઉલેખ છે. પણ ક્યા ક્યા ઉપસર્ગ એમના સાધનાકાલમાં ઉપસ્થિત થયા એનું કિંચિત્માત્ર વર્ણનપ્રાપ્ત થતું નથી. | સર્વ પ્રથમ આવશ્યકનિર્યુક્તિમાં તેમજ આવશ્યકચૂર્ણિ વગેરેમાં એમના વિવિધ ઉપસર્ગોનું ક્રમબદ્ધ વર્ણન સાંપડે છે, સર્વ પ્રથમ વાલે પિતાના બળદ ગુમ થઈ જવાને કારણે ભગવાનને ચેર સમજી, બળદ બાંધવાનું રાંઢવું લઈ એમને મારવા દોડે છે. ઈન્દ્ર પ્રભુ સમક્ષ પોતે એમની સાથે રહે એવી પ્રાર્થના કરી, પરંતુ મહાવીરે એની એ પ્રાર્થના એમ કહીને ટાળી દીધી કે આત્મસિદ્ધિ અથવા મુક્તિ બીજાની સહાય વડે પ્રાપ્ત થતી નથી. શુલપાણી યક્ષે પણ પ્રભુને રોમાંચકારી દુઃખ ૧. ક્ષત્ર તુ ક્ષત્રિય રાજ. રાજ બહુ સંભવ –અભિધાનચિંતામણિ, કાંડ ૩, શ્લેક પર૭. ૨. (ક) પ્રવચનસારહાર, સટીક પત્ર ૮૪. (ખ) ચન્દ્રપ્રભસ્ય મહાસેનઃ ક્ષત્રિય રાજા | પ્રવચનસારોદ્ધાર, સટીક, પત્ર ૮૪ ૩. ચૂલિકા ૨, ૧૫, ૧૨-૧૩ ૪. (ક) મહાવીરચરિયું, ગુણચંદ્ર, પ્ર. ૪ પૃ. ૧૧૪–૧૨૪ (ખ) મહાવીરચરિયું, ૭૭૦, પૃ. ૩૪, નેમચંદ્ર ૫. ચઉપન્ન, પૃ. ૨૭૧ ૬. ત્રિષષ્ટિ. ૧૦, ૨, ૬૮-૯૮ ૭. ભીમ ભયભેર ઉરાલ અચેલાં પરિસહ સહિઈ ત્તિ કરુ દેહિ સે મં કર્યા ‘સમણે ભગવ મહાવીરે ! આયારો ૦ આયાર, ૨, ૧૫–૧૬. ૮. અયલે ભયભેરવાણું પરીસહેવસગ્ગાણું ખંત્તિખએ પડિમાણું પાલએ વાયં અરતિરતિ સહ દવિએ વીરિયસમ્પને દેહિ સે ણામ કર્યા સમણે ભગવ મહાવીરે –કલ્પસૂત્ર, ૧૦૪ (ક) ઘેર પરીસચમું અધિયાસિત્તા મહાવીરા ! –આવશ્યકનિર્યુક્તિ, ૪ર૦. (ખ) વિશેષાવશ્યકભાષ્ય, ૧૯૭૨. (ગ) આ૦ હરિભદ્રીય, પ૩૭. ૯. મહાવીરચરિયું, ૪, ૧૨૫ ૧૦. મહેપસર્ગરપેષ ન કપૂઈત્તિ વજિયું મહાવીર ઇત્યપર નામ ચક્રે જગત્પતેઃ છે ત્રિશષ્ટિ૦ ૧૦ર/૧૦૦ ૧૧. ભગવાન મહાવીર એક અનુશીલન, લે. દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી, પૃ. ૨૩૯-૨૫૮ ૧૨. આચારાંગ, ૨, ૧૫, ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy