SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન : ૨૫ પગ તરીકે દર્શાવ્યા છે. આ લાક્ષણિક વર્ણન સમાજરૂપ વિરાટ શરીરને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત વગેરેમાં પણ આ અંગે ચર્ચા છે. વૈદિક સાહિત્યમાં ઋષભદેવને અનેક સ્થાને બ્રહ્મા કહેવામાં આવ્યા છે. જબૂદીપપ્રાપ્તિમાં ઋષભદેવની દીક્ષાનો ઉલ્લેખ છે, પણ વૈરાગ્ય કયા કારણે ઉત્પન્ન થયો એની ચર્ચા નથી ? જ્યારે આચાર્ય હેમચંદ્ર અને શીલાચાયૅજે નોંધ્યું છે કે, વસંતઋતુમાં નાગરિકગણું વિવિધ પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા હતા તે ક્રીડાઓ જોઈને તેઓ ચિંતન કરવા લાગ્યા : “શું આનાથી પણ અધિક સુખ કઈ સ્થાને છે ?' ચિંતન કરતાં કરતાં અવધિજ્ઞાનમાં પૂર્વભવમાં અનુત્તર વિમાનમાં જે સુખોપભોગને અનુભવ કર્યો હતો તેની સરખામણીમાં આ કંઈ જ નથી. તે લાંબા સમયનું સુખ આજ સ્વપ્નવત થઈ ગયું છે.” એમ જોઈ–વિચારીને અંતે તેઓ સંયમપંથ પર આગળ વધ્યા. દિગંબર પરંપરાના ગ્રંથ હરિવંશપુરાણ અને અન્ય ગ્રંથમાં “નીલાંજના' નર્તકી નૃત્ય કરતી કરતી મૃત્યુ પામી. એને જોઈને ઋષભદેવ પ્રતિબુદ્ધ થયા એ ઉલેખ છે." જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં અભિનિષ્ક્રમણની પૂર્વે ઋષભદેવે વાર્ષિક દાન આપ્યું એવો ઉલ્લેખ નથી, પણ આવશ્યકનિર્યુક્તિ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં એમણે વાર્ષિક દાન આપ્યું એવો ઉલલેખ છે. ઋષભદેવે ચારસુપ્ટિલોચ કર્યો એ ઉલેખ જંબુદ્વીપપ્રાપ્તિમાં છે. જ્યારે અન્ય તીર્થકરનાં વર્ણનમાં પંચમુષ્ટિલોચ કર્યાને ઉલ્લેખ છે. ટીકાકારે આ વિષયને સ્પષ્ટ કરતાં નેધ્યું છે. જે સમયે ભગવાન લેચ કરતા હતા તે સમયે એમની સુવર્ણ સમાન કેશરાશિને જોઈને ઈજે પ્રાર્થના કરી કે, એક મષ્ટિ કેશ એમને એમ રહેવા દો. ભગવાને ઇન્દ્રની પ્રાર્થના સ્વીકારી અને કેશને એ પ્રમાણે રહેવા દીધા. કેશ રાખવાને કારણે તેઓ “કેશી” અથવા “કશરિયાજી'ના નામથી પ્રખ્યાત થયા. પદ્મપુરાણુ, હરિવંશપુરાણમાં ઋષભદેવની જટાઓને ઉલલેખ છે. ઋવેદમાં ઋષભની સ્તુતિ “કેશી’રૂપે કરવામાં આવી છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે, કેશી અગ્નિ, જલ, સ્વર્ગ તથા પૃથ્વીને ધારણ કરે છે, કેશી વિશ્વનાં સમસ્ત તરનું દર્શન કરાવે છે અને કેશી જ પ્રકાશમાન જ્ઞાનતિ કહેવાય છે. જબૂદીપપ્રાપ્તિમાં ઉગ્ર, ભગ, રાજન્ય અને ક્ષત્રિય વંશની ચાર હજાર વ્યક્તિઓની સાથે ઋષભદેવે દીક્ષા લીધી એવો ઉલ્લેખ છે.અહીં એ સ્પષ્ટ કરવું આવશ્ય છે કે, ભગવાન ઋષભે એમને દીક્ષા આપી ન હતી, પણ એમણે ભગવાનનું અનુસરણ કરી સ્વયંલોચ વગેરે ક્રિયા કરી હતી.૧૩ જંબૂદીપપ્રાપ્તિમાં ભગવાન ઋષભદેવે દીક્ષા પછી પ્રથમ ક્યારે આહાર ગ્રહણ કર્યો એને ઉલ્લેખ નથી. સમવાવાંગમાં ૪, સંવછરેણુ ભિકખા લધા ઉસહેણુ લેગનાહેણ–આ પ્રકારે ઉલ્લેખ છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે, ભગવાન ૧. વિપ્રક્ષત્રિયવિશુદ્રા, મુખબાદૂરુપાદજાઃ વિરાજત પુરુષજાતીય અત્યાચાર લક્ષણઃ | -ભાગવત, ૧૧, ૧૭, ૧૩, બી. ભા. ૫. ૮૦૯. જંબુદ્વીપપ્રાપ્તિ, વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૦ . ત્રિષષ્ટિશલાકા, ૧, ૨, ૮૮૫-૧૦૩૩, ચઉપન્ન મહાપુરિસ ચરિયું. ૫. સોથ નીલાંજસા દષ્ટવા નૃત્યન્તીમિર્જન કીમ | બેધસ્વાભિનિબોધસ્ય નિવિદેપગતઃ | - હરિવંશપુરાણ, ૯, ૫૭ ૬. આવશ્યકનિયુક્તિ, ૨૩૯ ૭. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧, ૩, ૨૩ ૮. જંબુદ્દીપપ્રાપ્તિ, વક્ષરકાર ૨ સૂત્ર ૩૦ ૯. વાતાતા જટાસ્તસ્ય રજૂરાકુલમૂર્તયઃ | પદ્મપુરાણ, ૩, ૨૮૮ ૧૦. સ પ્રલમ્બજટાભારબ્રાજિષ્ણુઃ | હરિવંશપુરાણ ૯૨૦૪ ૧૧, કેશ્યનિ વિષ કેશી વિભતિ રાદસી 1 કેસી વિશ્વ સ્વઈશે કેશીદ તિરુચ દ, ૧૦, ૧૩૬, ૧ ૧૨. જબુદ્વીપ પ્રજ્ઞાપ્તિ વક્ષસ્કાર ૨, સૂત્ર ૩૦ ૧૩. ચઉરે સાહસ્સીઓ લેય કાણુ અપ્પણા ચેવ. ૧૪, સમવાયેગ સૂત્ર ૧૫૭ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy