SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન સન્માગની સ્થાપના કરતી હોય. ૩. સંવેદની–જે કથા જીવનની નશ્વરતા, દુઃખ બહુલતા અને શરીરની અશુચિતા બતાવીને વૈરાગ્ય ઉત્પન્ન કરતી હોય. ૪. નિવેદની–જે કથા કત કર્મોનાં શુભાશુભ ફળને દેખાડી સંસાર પ્રતિ ઉદાસીન બનાવે છે. આક્ષેપણ કથાના ચાર પ્રકાર છે: ૧. આચાર આક્ષેપણી–જેમાં આચારનું નિરૂપણ હોય. ૨, વ્યવહાર આક્ષેપણી–જેમાં વ્યવહાર અર્થાત પ્રાયશ્ચિત્તનું નિરૂપણ હેય. ૩. પ્રજ્ઞપ્તિ આક્ષેપણી–જેમાં સંશયગ્રસ્ત શ્રોતાને સમજાવવા માટેનું નિરૂપણ હેય. ૪. દષ્ટિપાત આક્ષેપણી––જેમાં શ્રોતાની યોગ્યતા અનુસાર વિવિધ નય (તર્ક) દષ્ટિઓથી તત્વનું નિરૂપણ હોય. પ્રસ્તુત કથાચતુષ્ટયની પરિભાષા દશવૈકાલિક નિર્યુક્તિ, મૂલારાધના, સ્થાનાંગવૃત્તિ, ધવલા' વગેરે વિવિધ ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે. દશવૈકાલિક નિર્યુક્તિ અને મૂલારાધનામાં પ્રસ્તુત કથાચતુષ્ટયની પરિભાષા એકસરખી છે. સ્થાનાંગવૃત્તિમાં આચાર્ય અભયદેવે આક્ષેપણીની જે વ્યાખ્યા કરી છે એને મૂળ આધાર દશવૈકાલિકનિર્યુક્તિ છે. ધવલામાં એની વ્યાખ્યા કંઈક બીજા પ્રકારે મળે છે. એના મત પ્રમાણે વિવિધ પ્રકારની એકાન્ત દૃષ્ટિએ અને બીજા સમયેની નિરાકરણપૂર્વક શુદ્ધિ કરી છ દ્રવ્યો અને નવ પદાર્થોનું પ્રરૂપણ કરનારી કથા આક્ષેપણું છે. આ કથામાં પ્રધાનપણે કેવળ તત્ત્વજ્ઞાનની સ્થાપના હોય છે. ધવલાકારે જે એક લેક ઉદાહરણરૂપે આપે છે એનાથી આ જ અર્થનું સમર્થન થાય છે. દશવૈકાલિકનિક્તિમાં એક ગાથા આ પ્રમાણે છે: આયાર વવહારે પન્નતી ચેવ દિદ્ધિવાએ ય. એસા ચઉવ્વિહા ખલુ કહા ઉ અકખેવણ હોઈ ! (૧૯૪). આચાર્ય હરિભદ્ર આચારનો અર્થ આચરણ, પ્રજ્ઞપ્તિને અર્થ સમજાવવું અને દૃષ્ટિવાદને અર્થ સૂક્ષમતત્વ એમ અર્થે પ્રતિપાદન કર્યા છે. ચૂણિ કારે “આયારે “વવહારે પન્નત્તિ વગેરે શબ્દોને દ્વિઅર્થી માન્યા નથી. ટીકાકાર શ્રીહરિભદ્ર અન્ય મતનો ઉલ્લેખ કરતાં આચાર વગેરે શબ્દોને શાસ્ત્રવાચક જ માન્યા છે. સ્થાનાંગમાં આક્ષેપણ કથાના જે ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે તેને ઉલ્લેખ નિર્યુક્તિની પ્રસ્તુત ગાથામાં થયો છે.૧૦ આચાર્ય અભયદેવે અન્ય મતને ઉલ્લેખ કર્યો છે તે આચાર્ય હરિભદ્રના શબ્દમાં જ કર્યો છે. વિક્ષેપણી કથા પણ ચાર પ્રકારની છેઃ ૧. સમ્યક દૃષ્ટિવાળી વ્યક્તિ પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યા પછી અન્યને સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. ૨. અન્યના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યા પછી પોતાના મતની સ્થાપના કરે છે. ૩. સમ્યવાદનું પ્રતિપાદન કર્યા પછી મિથ્યાવાદનું પ્રતિપાદન કરે છે. ૪. મિથ્યાવાદનું પ્રતિપાદન કરીને પુનઃ સમ્યગુવાદની સ્થાપના કરે છે. વિક્ષેપણ કથાની વ્યાખ્યા અંગે ટીકાગ્રંથોમાં કોઈ ભેદ નથી. ૧. અફખવણું કહા ચઠવિહા પણતા તંજહા આયાર અકવણી વવહાર અકખેવણી, પતિ અકબેવણી, દિડ્રિવાત અકખેવનું | સ્થાનાંગ ૪૨૪૭ દશવૈકાલિકનિયુક્તિ, ગાથા ૧૮૫–૨૦૧ ૩. મૂલારાધના, ૬૫-૬૫૭ ૪. સ્થાનાંગવૃત્તિ, ૪ર૦૪૭ ૫. ખડાંગમ ધવલા, ખંડ ૧, પૃ. ૧૦૪–૧૦૫ ૬. તત્ય અકખેવણી ણામ છવ–ણુવ–પયWાણે સર્વ દિગંતર–સમયાંતર ણિરાકરણું સુદ્ધિ કરંતી પરૂદિ છે –૧ખડાગધવલા–ભાગ ૧, પૃ ૧૦૨ ૭. આક્ષેપણી તત્વવિધાન ભૂતાં, વિક્ષેપણી તત્ત્વ દિગન્તશુદ્ધિમ | સંવેગિની ધમફળપ્રપંચી નિવેગિની ચાહ કથા વિરાગામ || –ષડખડાગમધવલા ભાગ ૧, પૃ ૧૦૬ ૮. આચાર–ચાસ્નાનાદિઃ વ્યવહારઃ કથાચિદાનંદષવ્યપહાય પ્રાયશ્ચિત્ત લક્ષણઃ, પ્રસપ્તિચૈવઃ સંશયાપન્નસ્ય મધુર-વચનઃ પ્રજ્ઞાપના, દષ્ટિવાદસ્ય-શ્રોત્રેપેક્ષા સુમછવાદિ ભાવકથનમ્ | –દશવૈકાલિક નિર્યુક્તિ, હરિભદ્રીય વૃત્તિ, પૃ. ૧૧૦ ૮. અન્ય ત્વભિન્દ્રદધતિ–આચારાદ ગ્રન્થા એવ પરિગૃહાતે આચારાઘભિધાનાદિતિ –દશવૈકાલિક નિર્યુક્તિ, હરિભદ્રીય વૃત્તિ, પૃ. ૧૧૦ ૧૦. આચાર અકખેવણ વવહાર અકવણું પન્નતિઅકખેવણી દિઢવાત અખેવણી 1 –સ્થાગ ૪ર૪૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy