SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન પંચાસ્તિકાયમાં,' તત્વાર્થવૃત્તિમાં આ અનુયોગનાં નામ આ પ્રમાણે મળે છે. પ્રથમાનુગ, ચરણનુગ, કરણનુગ અને દ્રવ્યાનુયેગ. વેતાંબર અને દિગબર ગ્રંથનાં નામમાં અને ક્રમમાં છેડેક તફાવત જરૂર છે, પણ તત્વતઃ બધાને ભાવક અર્થ એક જેવો જ છે. શ્વેતાંબરની દૃષ્ટિએ સર્વ પ્રથમ ચરણનુગ છે. રત્નકરડ઼શ્રાવકાચારમાં આચાર્ય સમન્તભ ચરણનુગની વ્યાખ્યા કરતાં લખે છે : ગૃહસ્થ અને મુનિઓના ચરિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનું વિધાન કરનાર અનુયેગને ચરણનુયોગ કહેવામાં આવે છે.કે દ્રવ્યસંગ્રહની ટીકામાં લખવામાં આવ્યું છે કે, ઉપાસક'ધ્યયન વગેરેમાં શ્રાવકને ધર્મ અને મૂલાચાર, ભગવતી આરાધના વગેરેમાં યતિનો ધર્મ મુખ્યત્વે કહેવામાં આવ્યો છે, તે ચરણાનુગ છે. બહદ્રવ્યસંગ્રહ, અનગાર ધર્મામૃત ટીકા વગેરેમાં પણ ચરણાનુગની વ્યાખ્યા આ પ્રમાણે જ મળે છે. આચાર અંગેનું સાહિત્ય ચરણનુ– ગમાં આવે છે. જીનદાસગણિ૭ મહત્તર ધર્મકથાનુગની વ્યાખ્યા કરતાં લખે છે કે, સવજ્ઞક્ત અહિંસા વગેર સ્વરૂપ ધર્મ અંગે જે કથન કરવામાં આવે છે અથવા અણુગના ઉપક્રમે ધર્મ અંગે જે કથા કહેવામાં આવે છે તે ધર્મ કથા છે. આચાર્ય હરિભદ્ર – પણ અનુગદ્વારની ટીકામાં અહિંસા લક્ષણયુક્ત ધર્મ અંગેનું જે આખ્યાન, તેને ધર્મકથા કડી છે. મહાકવિ પુષ્પદંત પણ કહે છે. જે અભ્યદય, નિશ્ચયસની સંસિદ્ધિ કરે છે અને સધર્મથી નિબદ્ધ છે, તે સધર્મકથા કહેવાય. ધર્મકથાનુગને જ દિગંબર પરંપરામાં પ્રથમાનુગ કહેવામાં આવ્યો છે. રત્નકરણ્ડશ્રાવકાચાર્ય માં લખવામાં આવ્યું છે કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પરમાર્થ જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે, જેમાં એક પુરુષ અથવા ત્રિષષ્ટિ લાઘનીય પુરુષનાં પવિત્ર ચરિત્રમાં રત્નત્રય અને ધ્યાનનું નિરૂપણ હોય તે પ્રથમાનુયોગ છે. ગણિતાનુયોગ એટલે ગણિતના માધ્યમ વડે જ્યાં વિષયને સ્પષ્ટ કરવામાં આવ્યો હોય તે. દિગબર પરંપરામાં આ સ્થાને કરણાનુયોગ નામ પ્રચલિત છે. કરણાનુયોગને અર્થ એ છે કે, લેક-અલકના વિભાગને, યુગોના પરિવર્તનને તથા ચારેય ગતિઓને દર્પણમાં પ્રગટ થયેલ હોય તે રીતે પ્રગટ કરનારા સમ્યગૂ જ્ઞાનને કરણાનુગ કહેવામાં આવે છે. 11 કરણું શબ્દના બે અર્થ છેઃ (૧) પરિણામ અને (૨) ગણિતનાં સૂત્ર. દ્રવ્યાનુયોગ–જે શ્રુતજ્ઞાનના પ્રકાશમાં છવ–અજીવ, પુણ્ય–પાપ, બંધ–ક્ષ વગેરે તત્તવોને દીપકની માફક પ્રગટ કરે છે, તે દ્રવ્યાનુગ છે.૧૧ જિનભગણિ ક્ષમાક્ષમણે વિશેષાવશ્યકમાં ૧. પંચાસ્તિકાય ૧૭૩ ૨. તત્વાર્થવૃત્તિ ૨૫૪/૧૫ ૩. (ક) આવશ્યકનિર્યુક્તિ, ૩૬૩-૭૭૭ (ખ) વિશેષાવશ્યકભાષ્ય, ૨૨૮૪–૨૨૮૫ ૪. ગૃહમેધ્ય નગારાણાં ચારિત્રોત્પત્તિ-વૃદ્ધિ-રક્ષાડ-ગમ ! ચરણનુયોગસમયે સમ્યજ્ઞાન વિજાનાતિ –રત્નકર૦ ૪૫ પ. દ્રવ્યસંગ્રહ ટીકા, કર/૧૮૨/૮ ૬. સકલતા ચારિત્ર-જન્મ રક્ષા વિવૃદ્ધિકૃત ! વિચારણીયશ્ચરણાનુયોગથરણુદતૈક છે -અનુગાર ધર્મામૃત ૩/૧૧ પં. આશાધરજી ૭. ધમ્મકહા નામ જે અહિંસાદિલખણુ સવ્વણુપણુય ! ધર્મ અનુયેગવા કહેઈ એસા ધમકહા ! –દશવૈકાલિકચૂર્ણ પૃ. ૨૯ ૮. અહિંસા લક્ષણુ ધર્માન્વાખ્યાન ધર્મકથા | અનુગદ્વાર ટીકા પૃ. ૧૦. ૯. ડભૃદયનિઃશ્રેયસાર્થ – સંસદ્ધિરંજસા | સધર્મ સ્વન્નિબદ્ધા યા સા સધર્મકથા મૃતા છે -મહાપુરાણુ, મહાકવિ પુષ્પદંત, ૧/૧૨૦ ૧૦. પ્રથમાનુયોગમર્યાખ્યાન ચરિત્ર પુરાણામપિ પુણ્યમ ! બેધિ સમાધિનિધાનં બોધાતિબંધઃ સમીચીન ! –રકર૩ શ્રાવકાચાર, ૪૩ ૧૧. કલેકવિભકતગપરિવૃત્તધચતુર્થતીના ચ | આદર્શમિવ તથા મતિરતિ કરણાનુગ ચ ! -રત્નકર૩ શ્રાવકાચાર, ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy