SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ—તીમાં થાવચાપુત્ર અને બાન : સૂત્ર ૧૯૯ કરો, કરાવા, કરી-કરાવીને મારી આ આશા પૂરી થયાની જાણ કરો.’ ત્યાર પછી શૈલક રાજાએ પંથક આદિ પાંચા મંત્રીઓને આ પ્રમાણે કહ્યું–‘હે દેવાનુપ્રિયા ! જો તમે સંસાર–ભયથી ઉદ્ભિગ્ન બન્યા હો યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છો છો તે હે દેવાનુપ્રિયા ! તમે જાઓ અને પોતપોતાના કુટુબમાં જઈને કુટુંબના ભાર માટા પુત્રને સાંપીને સહસ્ત્ર–પુરુષ–વાહિની શિબિકા પર બેસીને મારી પાસે પાછા આવેા.' તેઓએ પણ તે પ્રમાણે કર્યું. શૈલપુત્ર મડુકના રાજ્યાભિષેક— ૧૯૭. ત્યારબાદ પછી શૈલક રાજાએ પાંચસા મત્રીઓને પાતાની પાસે આવેલા જોયા, જોઈને હૃષ્ટ—તુષ્ટ બની કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું–‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ મંડુક કુમારના રાજ્યાભિષેક માટે મહા, મહ, મહામૂલ્ય, મહાપુરુષને માગ્ય વિપુલ સામગ્રી એકત્ર કરો.’ ત્યારે તે કૌટુંબિક સેવકોએ મંડુક કુમારના રાજ્યાભિષેક માટે મહા, મહ, મહામૂલ્યવાન સામગ્રી તૈયાર કરી હાજર કરી. ત્યાર પછી તે શૈલક રાજાએ અનેક ગણનાયકો—ખાવત્–સંધિપાલકોથી વીંટળાઈને મ ુક કુમારને અભિસિંચન કરી રાજયાભિષેક કર્યા. ત્યાર બાદ તે મંડુક રાજા બન્યા–મહાન હિમવંત પર્યંત સમાન, મહા મલય અને મદર પર્વત સમાન, મહાન ઇન્દ્ર જેવા રાજા બની યાવતું રાજ્યશાસન કરતા વિચરવા લાગ્યા. શૈલકની પ્રવ્રજ્યા— ૧૯૮. ત્યાર બાદ તે શૈલકે મંડુક રાજાને [પ્રવ્રજ્યા માટે] પૂછ્યું. ત્યારે મડુક રાજાએ કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યુ-‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ શૈલકપુર નગરને જળસિંચન કરી, સ્વચ્છ કરી, મકાના લીંપીધાળી યાવત્સુગંધિત દ્રવ્યો દ્રારા સુગ ંધિત બનાવી ગંધતિ કા (ધૂપસળી) જેવું સુગંધિત Jain Education International ત્યાર બાદ મંડુક રાજાએ ફરી બીજી વાર પણ કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિયા ! તમે તરત જ શૈલકરાજાના અભિનિષ્ક્રમણ-અભિષેક (દીક્ષાઅભિષેક) માટે મહા, મહ, મહામૂલ્યવાન વિપુલ સામગ્રી એકઠી કરો.' જેમ મેઘકુમારના પ્રકરણમાં તેમ જ અહીં પણ વન, વિશેષમાં–પદ્માવતી દેવીએ શૈલક રાજાના અગ્રકેશ ગ્રહણ કર્યા. બાકી સઘળું સમાન યાવત્ અને સ` પ્રતિગ્રહ-પાત્રાદિક લઈને પોતે શિબિકા પર આરૂઢ થયા. શેષ વન પૂર્વવત્ સમજવું, યાવત્— ત્યાર પછી તે શૈલકે પાંચસા મત્રોએ સાથે પાતાની જાતે પ’ચમુષ્ટિ લાચ કર્યાં, લાચ કરીને જ્યાં શુક અનગાર હતા ત્યાં આવ્યા, આવીને શુક અનગારની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, ત્યાર બાદ તે શૈલક અનગાર બની ગયા– યાવત્ કર્માંના વિનાશ માટે ઉદ્યમી થઈ વિહરવા લાગ્યા. ત્યાર બાદ તે શૈલકે શુક અનગારના તથારૂપ-ગીતા સ્થવિરો પાસે સામાયિકથી લઈને અગિયાર અગા સુધીનાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું, અધ્યયન કરી અનેક ચતુર્થાં, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, અ માસ, માસક્ષમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા તે વિચરવા લાગ્યા. શુનુ પુડરીક પર્વત પર પરિનિર્વાણ-૧૯૯. ત્યાર પછી શુક અનગારે શૈલક અનગારને પથક-પ્રમુખ પાંચા અનગારો શિષ્યરૂપે પ્રદાન કર્યાં. ત્યાર બાદ તે શુક અનગાર કોઈ સમયે For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy