SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–ભરત ચક્રવતી-ચરિત્ર : સુત્ર પર ૬ ૧૨૧ વ્રતી બની પૌષધશાળામાં રહ્યો-પાવતુ-અષ્ટમ ભક્ત તપ પૂર્ણ થતાં પૌષધશાળામાંથી બહાર નીકળ્યા, નીકળીને જયાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો, આવીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુકમંગલ કયું', કરીને શુદ્ધ સ્વચ્છ મંગળ વસ્ત્રો પહેર્યા, અલ્પ પરંતુ મહામૂલ્ય આભૂપણથી શરીરને શણગાયું, પછી હાથમાં ધૂપ, પુષ, સુગંધી માળાઓ લઈ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યો, બહાર નીકળી જે તરફ તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ પ્રવેશદ્વારનાં બારણાં હતાં તે તરફ જવા માટે પ્રયાણ કર્યું. ત્યાર પછી તે સુસેન સેનાપતિના અનેક ખંડિયા રાજાઓ, કોટવાળ, માંડલિકો-યાવતુસાર્થવાહ વગેરે હાથમાં કમળ લઈને-પાવસુસેન સેનાપતિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્યાર બાદ તે સુસેન સેનાપતિની અનેક કુજા, ચિલાતી આદિ દાસીઓ-વાવસંકેત, ચિંતન, ઇરછા સમજી લેવામાં કુશળ અને વિનીત એવી હાથમાં કળશ લઈને યાવતુ-પાછળ પાછળ ચાલવા લાગી. પ૨૬, ત્યાર બાદ સમસ્ત ઋદ્ધિ, સમસ્ત ધુતિ-થાવત્ જિંત્રોના નાદ સાથે તે સુસેન સેનાપતિ જ્યાં તિમિર ગુફાનું દક્ષિણ ભાગનું દ્વાર હતું ત્યાં આવ્યો, આવીને બારણાંને જોતાં જ પ્રણામ કર્યા, પ્રણામ કરીને પીંછી હાથમાં ધારણ કરી, પીંછી લઈને તિમિસ્ત્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાંને લૂછયાં, લૂછીને દિવ્ય જળધારા વડે તેનો અભિષેક કર્યો, અભિષેક કરીને સરસ ગશીર્ષ ચંદનથી પાંચે આંગળીઓ વડે તેના પર થાપા કર્યા, થાપા કરીને ઉત્તમ શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યો અને માળાઓ દ્વારા પૂજાઅર્ચના કરી, પૂજા કરી પુષ્પો ચઢાવ્યાંયાવત્ વસ્ત્રો ચઢાવ્યાં, વસ્ત્રાદિ અર્પણ કરીને આસિંચન, ઉસિંચન, વિપુલવર્ત આદિ વિધિપાવતુ–કરી, કરીને સ્વચ્છ, સ્નિગ્ધ, રજત સમાન અક્ષત તાંદુલ દ્વારા તિમિસ ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાંની સામે નાઠ આઠ મંગળોનું આલેખન કર્યું. તે જેમ કે સ્વસ્તિક, શ્રીવાસ-યાવ-હાયમાં પકડેલા હથેળીમાં પડેલા ચન્દ્ર જેવા પ્રભાશાળી તથા વજ અને વૈદ્ય મણિના હાથાવાળા ધૂપદાનથી–પાવતુ-ધૂપ કર્યો, ધૂપ કરીને ડાબે ઘૂંટણ ઊંચે અને જમણો ઘૂંટણ નીચે કરી બન્ને હાથ જોડી-વાવ-મસ્તક પાસે અંજલિ રચી બારણાંને પ્રણામ કર્યા, પ્રણામ કરીને દંડરત્ન હાથમાં લીધો, ત્યારે તે દંડ-રત્ન જે પાંચ લતાવાળો, વજના સારભાગમાંથી બનાવેલ હોવાથી વિશેષ મજબૂન, સર્વ શસેનાનો વિનાશક, રાજાના અંધાવારના નિર્માણ માટે ખાડા, ગુફા, વિષમભૂમિ, મોટા પર્વતે, પ્રપાનો આદિને સમતળ કરનાર, શાંતિકારક, શુભકારક, હિતકારક, રાજાના હૃદય-ઇચ્છિત મનોરથ પૂરનાર, દિવ્ય અને અપ્રતિહત હતોએવો દંડરન હાથમાં લઈ સાત આઠ ડગલાં પાછળ ખસ્યો, પાછળ ખસી નિમિગ્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાં પર તે દંડરન દ્વારા જોરપૂર્વક ત્રણ વાર આઘાત કર્યો. ત્યારે નિમિગ્ર ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાં સુસેન સેનાપતિ દ્વારા દડરત્ન વડે જોરપૂર્વક ત્રણ વાર ફટકારાતાં ફ્રેંચ પક્ષી જે અવાજ કરતાં મોટા અવાજ સાથે સરસર કરતાં પોતાના સ્થાનેથી ખસી ગયાં અર્થાત્ ખૂલી ગયાં. ત્યાર બાદ તે સુસેન સેનાપતિએ તિમિરા ગુફાના દક્ષિણ ભાગના દ્વારનાં બારણાં ઉઘાડયાં, ઉઘાડીને જ્યાં ભરત રાજા હતો ત્યાં તે આવ્યો, આવીને-પાવતુ-બે હાથ જોડી જય જય શબ્દોથી ભરત રાજાને વધાવ્યો, વધાવીને આ પ્રમાણે બોલ્યો હે દેવાનુપ્રિય ! તિમિચ ગુફાના દક્ષિણ ભાગનાં દ્વાર ખોલી નાખ્યાં છે, એ પ્રિય સમાચાર દેવાનુપ્રિયને વિદિત થાય, આપને પ્રિય થાય.” ใ$ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy