SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ધર્મ કથાનુગ—તીર્થકર સામાન્ય : સત્ર ૪૬૪ શ્રમણ ભગવાન મહાવીરની છત્રીસ હજાર શ્રમણી હતી. શ્રાવિકાસંપદા૪૬૧. અરહંત પાર્શ્વનાથના સંધમાં ઉત્કૃષ્ટ શ્રાવિકા -સંપદા ત્રણ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓની હતી. ઉપદેશ એમના શિષ્યોને સમજવો કઠિન લાગે છે, જેમ કે– ૧. દુરાગ્યેય-મુશ્કેલીથી જેની વ્યાખ્યા થઈ શકે તેવો, ૨. દુર્વિજય–જેનું વિભાગીકરણ કઠિન છે તેવ, ૩. દુર્દશ-સમજ અઘરો છે તે, ૪. દુ:સહ-પરીષહ સહન કરવામાં કિઠિન છે તેવો, ૫. દુરનુચર-આચારમાં ઉતારવા મુશ્કેલ છે તે. પાંચ કારણોસર વચ્ચેના બાવીશ જિનેને ઉપદેશ તેમના શિષ્યોને સરળ લાગે છે, જેમ કે– ૧. સુ ખેય-સફળતાપૂર્વક વ્યાખ્યા થઈ શકે તેવે છે, ૨. સુવિભાજપ-સારી રીતે વિભાગીકરણ કરી શકાય છે, ૩. સુદર્શ—સરળ તાપૂર્વક સમજાય છે, ૪. સહ-શાંતિપૂર્વક પરીષહ સહન કરાય તેવો છે અને ૫. સુચરસારી રીતે આચરી શકાય તેવે છે. શ્રમણ-સંપદા , ૪૫૯, અરહંત કૌશલિક ઋષભદેવના અલભસેન પ્રમુખ ચોરાશી હજાર શ્રમણા હતા. અરહંત વિમલનાથની અડસઠ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથની સોળહજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરની ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ-સંપદા હતી. શ્રમણી–સંપદા – ૪૬૦ અરહંત શાંતિનાથની શ્રમણ સંપદા ઉત્કૃષ્ટ નેવ્યાસી હજારની હતી. અરહંત મુનિસુવ્રતની પચાસ હજાર શ્રમણીઓ હતી. અરહંત નમિનાથની ચાલીસ હજાર શમણીઓ હતી. પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથની આડત્રીસ હજાર શ્રમણીઓની ઉત્કૃષ્ઠ શ્રમણીસંપદા હતી. વાદી-સંપદા– ૪૬૨. અરહંત સુપાર્શ્વનાથના શિષ્યગણમાં છયાસી સો વાદી હતા. અરહંત અરિષ્ટનેમિની દેવ, મનુષ્ય, અસુર લોકોથી પણ વાદમાં પરાજિત ન થનારા આઠ સે વાદી મુનિયોની ઉત્કૃષ્ટ સંપદા હતી. અરહંત પાર્શ્વનાથની દેવ, મનુષ્ય, અસુર દ્વારા પરાજિત ન થનારા છ સે વાદીઓની ઉત્કૃષ્ટ મુનિ-સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરની દેવ, મનુષ્ય, અસુરે દ્વારા વાદમાં પરાજિત ન થનારા ચારસે વાદી મુનિયાની ઉત્કૃષ્ટ વાદી-સંપદા હતી. વૈકિયલબ્ધિ-સંપદા– ૪૬૩. અરહંત પાર્શ્વનાથના અગિયારસ શિષ્યો તિક્રિયલબ્ધિધારી હતા. કામણ ભગવાન મહાવીરના સાતસો શિષ્યો વૈક્રિયલબ્ધિધારી હતા. ચતુર્દશપૂવી-સંપદા૪૬૪. અરહંત શાંતિનાથના ત્રાણુ સે ચતુર્દશપૂવી મુનિઓ હતા. અરહંત અરિષ્ટનેમિના ચાર સે ચતુર્દશપૂવ શ્રમણો હતા, જે જિન ન હોવા છતાં જિન સમાન યથાતથવાદી તથા સર્વાક્ષરસંયોગ –વાદી હતા. પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથના સાડા ત્રણસો મુનિઓ ચૌદપૂવી હતા. શ્રમણ ભગવાન મહાવીરના ત્રણસો મુનિઓ ચૌદપૂવ હતા. Sા . For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy