SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગતીર્થકર સામાન્યઃ સૂત્ર ૪૫ર ત્યાં પચ્ચીસ ભોજનની સીમામાં જીવ જંતુઓનો ઉપદ્રવ ન થાય. ૨૮. મહામારીને ઉપદ્રવ ન થાય. ૨૯. સ્વસેના વિપ્લવ ન કરે. ૩૦, અન્ય રાજ્યની સેનાનો ઉપદ્રવ ન થાય. ૩૧. અધિક વર્ષો ન થાય. ૩૨. વર્ષાને અભાવ ન થાય. ૩૩, દુષ્કાળ ન થાય. ૩૪. પહેલાં ઉત્પન્ન થયેલ ઉત્પાત તથા વ્યાધિ ઓનું શમન થાય. ૪૫૨. પાંત્રીશમો સત્યવચનનો અતિશય છે. ચાતુર્યામ-ધ-ઉપદેશક તીર્થંકર૪૫૩. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકર સિવાયના વચ્ચેના બાવીશ તીર્થકર ભગવંતે ચાતુર્યામ (ચાર મહાવ્રત રૂપી) ધર્મની પ્રરૂપણા કરે છે, જેમ કે ૧. સર્વ પ્રકારની હિંસાથી નિવૃત્ત થવું, ૨. સર્વ પ્રકારના અસત્યથી નિવૃત્ત થવું, ૩. સર્વ પ્રકારના અદત્તાદાનથી નિવૃત્ત થવું, ૪. સર્વ પ્રકારના બાહ્ય પદાર્થોના આદાનથી નિવૃત્ત આગામી ઉત્સર્પિણીના તીર્થંકર (તીર્થકરોનાં નામો)૪૫૫. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિ. ણીમાં એવીશ તીર્થકરો થશે, તેમનાં નામ આ પ્રમાણે છે– [સંગ્રહણી ગાથા ૧. મહાપા, ૨. સૂરદેવ, ૩. સુપાર્શ્વ, ૪. સ્વયંપ્રભ, પ. સર્વાનુભૂતિ, ૬. દેવકૃત, ૭. ઉદય, ૮. પેઢાલપુત્ર, ૯. પેથ્રિલ, ૧૦. શતકીર્તિ, ૧૧. મુનિસુવ્રત, ૧૨. સર્વભાવવિદ્ ૧૩. અમમ, ૧૪. નિષ્કપાય, ૧૫. નિષ્ણુલાક, ૧૬. નિર્મમ, ૧૭ ચિત્રગુપ્ત, ૧૮. સમાધિ, ૧૯. સંવર, ૨૦. અનિવૃત્તિ, ૨૧. વિજય, ૨૨, વિમલ, ૨૩. દેવપપાત, ૨૪. અનંતવિજય ભારતવર્ષમાં આગામી ઉત્સર્પિણીમાં ધર્મતીર્થના ઉપદેશક એવા આ ચોવીશ તીર્થકરો થશે. પૂર્વભવનાં નામ૪૫. ઉક્ત ચોવીશ તીર્થકરોના પૂર્વભવનાં નામ આ પ્રમાણે હશે, જેમ કે ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદય, ૪. પટ્ટિલ, પ. દઢાયુ, ૬. કાર્તિક, ૭. શંખ ૮. નંદ, ૯. સુનંદ, ૧૦. શતક, ૧૧. દેવકી, ૧૨.. સત્યકી, ૧૩. વાસુદેવ, ૩૪. બલદેવ, ૧૫. રોહિણી, ૧૬. સુલસા, ૧૭. રેવતી, ૧૮.મિયાલી, ૧૯. ભયાલી, ૨૦. દ્રિપાન, ૨૧. કુષ્ણ, ૨૨. નારદ, ૨૩. અંબડ, ૨૪. સ્વાતિબુદ્ધ. –ભાવી તીર્થકરોના પૂર્વભવનાં આ નામે જાણવાં. તીર્થકરનાં માતા-પિતા૪૫૭. આ વીશ તીર્થકરોના ચોવીશ પિતા હશે, ચોવીશ માતા હશે, ચોવીશ પ્રથમ શિષ્યો હશે, ચોવીશ પ્રથમ ભિક્ષાદાતાઓ હશે અને ચોવીશ ચૈત્યવૃધે હશે. તીર્થકરોના ઉપદેશની દુર્ગમતાસુગમતા૪૫૮. પાંચ કારણેથી પ્રથમ અને અંતિમ જિનને થવું. બધા મહાવિદેહમાં તીર્થકર ભગવંતો ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરે છે, જેમ કે સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવૃત્ત થવુંપાવતુ-સર્વ પ્રકારના બાહ્ય પદાર્થોના આદાનથી નિવૃત્ત થવું. ચાતુર્યામ-ધર્મોપદેશક કૃષ્ણ આદિ ભાવી તીર્થકર૪૫૪. હે આર્ય ! કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવ, ઉદક પેઢાલપુત્ર, પૌટિલ મુનિ, શતક ગાથાપતિ, દારૂક નિગ્રંથ, સત્યકી નિગ્રંથીપુત્ર, સુલાસા શ્રાવિકા દ્વારા પ્રતિબોધિત અંબડ પરિવ્રાજક, ભગવાન પાર્શ્વનાથની પ્રશિષ્મા સુપાર્શ્વ આર્યા-આ બધા આગામી ઉત્સર્પિણીમાં ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરશે અને સિદ્ધ થશે-વાવ-સર્વ દુ:ખોને અંત કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy