SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–તીર્થકર સામાન્ય : સૂત્ર ૪૬૫ ૧૦૧. અવધિજ્ઞાની–સંપદા૪૬૫. અરહંત અજિતનાથના ચોરાણુ સો મુનિ અવધિજ્ઞાની હતા. અરહંત કુંથુનાથના એકાણુ સે મુનિઓ અવધિજ્ઞાની હતા. અરહંત મલ્લિનાથના ઓગણસાઠ સે મુનિઓ અવધિજ્ઞાની હતા. અરહંત નમિનાથના ઓગણચાલીસ સો મુનિઓ અવધિજ્ઞાની હતા. મન:પર્યાયજ્ઞાની-સંપદા૪૬૬. અરહંત કુંથુનાથના એકાશી સે મુનિઓ મન:પર્યાયશાની હતા. અરહંત મલ્લિનાથના સત્તાવન સો મુનિઓ મન:પર્યાયજ્ઞાની હતા. તીર્થકરોની જિન-સંપદા૪૬૭. અરહંત સુવિધિનાથ પુષ્પદંતના પંચોતેરસ સામાન્ય કેવળી હતા. અરહંત કંથુનાથના બત્રીસ સો સામાન્ય કેવળી હતા. અરહંત પાર્શ્વનાથના એક હજાર સામાન્ય કેવળી મુનિઓ હતા. શ્રમણ ભગવાન મહાવીરના સાત સો શિષ્ય કેવળજ્ઞાની હતા. અનુત્તરપપાતિક -સંપદા૪૬૮. શ્રમણ ભગવાન મહાવીરના ઉત્કૃષ્ટ આઠ સો શિષ્યો એવા હતા જેમની કલ્યાણકારી અનુરરોપપાતિક દેવગતિ–પાવતુ-ભવિષ્યમાં મોક્ષગતિ નિશ્ચિત હતી. તીર્થંકરના અંતરકાળ૪૬૯. ભગવાન ઋષભદેવ અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર વધમાન વચ્ચેનો અંતર કાળ એક કોટાકોટિ સાગરોપમ છે. સંભવનાથ અરહંતની મુક્તિ પછી દશ લાખ કરોડ સાગરોપમ વ્યતીત થયા બાદ અભિનંદન અરહંત થયા હતા. અભિનંદન અરહંત પછી સુમતિનાથ અરહંત નવ લાખ કરોડ સાગરોપમ વીયે થયા હતા. ધર્મનાથ તીર્થંકર પછી ત્રણચતુર્થાશ (પોણો) પલ્યોપમ ઓછા એટલા ત્રણ સાગરોપમ (અર્થાત્ સવા બે સાગરોપમ) પછી શાંતિનાથ અરહંત થયા હતા. ઋષભાદિ અરહંતોને પર્યપણકલ્પ-નિર્વહણ સમય– ૪૭૦. કૌશલિક અરહંત ઋષભદેવને નિર્વાણ પામ્યાને યાવતુ-સર્વ દુ:ખોથી મુક્ત થયાને જ્યારે ત્રણ વર્ષ સાડા ઓઠ માસ વીત્યા અને ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ઓછા એ એક કોટાકોટિ સાગરોપમ સમય ગયો ત્યારે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. ત્યાર બાદ પણ નવ સો વર્ષ વીતી ગયાં છે અને અત્યારે દશમી શતાબ્દીનું એંશીમું વર્ષ ચાલી રહ્યું છે. અરહંત અજિતને-યાવતુ-સર્વદુ:ખોથી મુક્ત થયાને પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ એ પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. અરહંત સંભવનાથને-યાવત્સ ર્વ દુ:ખોથી મુક્ત થયાને વીશ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળનાથ વિશે કહ્યું તેમ જાણવું, એ આ પ્રમાણે, અર્થાત્ એ વીશ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાલીશ હજાર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. અરહંત અભિનંદનને-વાવ-સવ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy